Site icon Revoi.in

રાજકોટ – જામનગર હાઈવે પર ટ્રેકટર પાછળ પૂરફાટ ઝડપે આવેલી કાર અથડાતા 4ના મોત

Social Share

રાજકોટઃ ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં રાજકોટ જામનગર હાઈવે પર પરધરી તાલુકાના તરઘડી ગામ નજીક કાર અને ટ્રેકટર વચ્ચે વધુ એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોનાં મોત થયા હતાં આ બનાવના પગલે લોકોનાં ટોળે ટોળાં ઘટના સ્થળેદોડી આવ્યા હતા. બાદમાં બનાવની જાણ પોલીસ અને 108 એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, રાજકોટ નજીક પડધરી તાલુકાના તરઘડી ગામ નજીક ઉમિયા ચાના કારખાના પાસે રાજકોટ-જામનગર હાઇવે પર સવારે ટ્રેકટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આજે સવારે નવેક વાગ્યા આસપાસ રાજકોટ-જામનગર હાઇવે પર તરઘડી પાસે કાર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા કાર ચાલક હિમાંશુ પ્રવિણભાઇ પરમાર (ઉ.વ.32, રહે. ઠેબા ચોકડી, જામનગર) કારમાં ચાલકની બાજુની સીટમાં બેઠેલ અજય પ્રવિણભાઇ જોષી (ઉ.વ.ર8, રહે. રાજકોટ) કારમાં પાછળની સીટમાં બેસેલ અજય છગનભાઇ પરમાર (ઉ.વ.20, રહે. કાલાવડ રોડ, આંબેડકરનગર, રાજકોટ) અને ટ્રેકટર ચાલક ખેડુત કિરીટભાઇ લીંબાભાઇ ડોબરીયા (ઉ.વ.40, રહે. ફતેપરા ગામ તા. પડધરી)નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજતા હાઇવે મોતની ચીસોથી ગુંજી ઉઠયો હતો.
બનાવના પગલે પડધરી પોલીસના મહિલા પીએસઆઇ એમ.ડી.મકવાણા, હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ દાફડા અને કોન્સ્ટેબલ કુલદીપસિંહ ઝાલા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પડધરી હોસ્પિટલે ખસેડયા હતા અને મૃતકોના પરિવારને જાણ કરી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો બુકડો બોલી ગયો હતો, જ્યારે ટ્રેકટર ટ્રોલીથી જુદું પડી ગયું હતું. ટ્રેકટરના વ્હીલ પણ નીકળી ગયા હતા. ખેડુત કિરીટભાઇ ટ્રેકટર નીચે દબાઇ જતા મોત નિપજ્યું હતુ.બનાવના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી છે. કાર સવાર ત્રણેય મિત્રો જામનગર જતા હોવાનું જાણવા મળ્યું છે.