Site icon Revoi.in

પ્રધાનમંત્રી જનધન યોજનાના 8 વર્ષ પૂર્ણઃ 56 ટકા મહિલાઓ ખાતા ધારક જેને મળે છે સીધો લાભઃ નાણામંત્રી સીતારમણ

Social Share

દિલ્હીઃ-  દેશમાં બેકિંગ ક્ષે્તરમાં ઘણા લાભદાયક પરિવર્તન આવી રહ્યા છે, અવનવી યોજનાઓ કેન્દ્ર વિકસાવી રહ્યું છે ત્યારે આજ રોજ પ્રધાનમંત્રી જન ધન યોજનાના 8 વર્ષ પૂર્ મથયા છે.. આ યોજના દ્વારા લાખો પરિવારોના જીવનમાં પરિવર્તન આવ્યું અને તેમના જીવનને વધુ સારું બનાવ્યું. આજના પ્રસંગે નાણામંત્રી સીતારમણએ બેકિંગ સેવાઓને લઈને ઘણી વાત કહી હતી તેમણે કહ્યું હતું કે નાણાકીય  સમાવેશી વૃદ્ધિ તરફ એક મોટું પગલું છે, જે સમાજના તમામ વંચિત વર્ગના સર્વગ્રાહી આર્થિક વિકાસને સુનિશ્ચિત કરી શકે છે. 

આ યોજનાનો આરંભ  28 ઓગસ્ટ 2014ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલથી કરવામાં આવ્યો . આ યોજના હેઠળ 46 કરોડથી વધુ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે જેમાં 1.74 લાખ કરોડ રૂપિયા જમા છે.

નાણામંત્રી સીતારમણે પ્રધાનમંત્રી જન ધન યોજના ના આઠ વર્ષ પૂર્ણ થવાના અવસરે જારી કરેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે બેંકિંગ સેવાઓના દાયરાની બહારના લોકોને નાણાકીય વ્યવસ્થાનો એક ભાગ બનાવીને નાણાકીય સમાવેશ તરફ પગલાં ભરવામાં આવ્યા છે.વધુમાં સીતારમણે કહ્યું કે આ યોજનાની મદદથી દેશની 67 ટકા ગ્રામીણ વસ્તીને હવે બેંકિંગ સેવાઓનો લાભ મળ્યો છે. આ સિવાય હવે 56 ટકા મહિલાઓ પાસે પણ જન ધન ખાતા છે.જેઓને આ યોજનાનો લાભ સીઘેસીધો ખાતા મારફત મળી રહ્યો છે.

આ ખાતાનો લાભ ઘણી રીતે જનતાને ણળ્યો છે સરકાર પીએમ કિસાન યોજના, એલપીજી સબસિડી, વિવિધ પ્રકારની શિષ્યવૃત્તિ અને રાષ્ટ્રીય રોજગાર ગેરંટી યોજના જેવી ઘણી યોજનાઓના પૈસા સીધા લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરે છે.

જાણો આ ખાતાની ઉપલબ્ધિ વિશે શું કહ્યું મંત્રી સીતારમણે

આ યોજનાને વર્ષ 2018 પછી પ ચાલુ રાખવાનો નિર્ણય દેશમાં નાણાકીય સમાવેશના ઉભરતા પરિદ્રશ્યની જરૂરિયાતો અને પડકારોને પહોંચી વળવાના હેતુથી પ્રેરિત હતો.” તેના બદલે, દરેક પુખ્ત વ્યક્તિને બેંક ખાતું આપવામાં આવ્યું છે.

કે નાણાકીય સમાવેશ માટે બનાવવામાં આવેલ જન ધન પ્રણાલી કોવિડ-19 મહામારીના સમયે જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક મદદ પૂરી પાડવા માટે અસરકારક સાબિત થઈ છે

જન ધન ખાતા દ્વારા સરકારી નાણાં સીધા લોકોને મોકલવા અને RuPay કાર્ડનો ઉપયોગ કરીને ડિજિટલ ચૂકવણીને પ્રોત્સાહિત કરવા માટે એક પદ્ધતિ અપનાવવામાં આવી છે. 

અનેક સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સીધા નાણાં મોકલવાનું અનુકૂળ બનાવ્યું છે.