Site icon Revoi.in

ભારતીય ટીમને મોટો ઝટકો,જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સિરીઝમાંથી બહાર

Social Share

મુંબઈ:ભારતીય ક્રિકેટ ટીમ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયો છે.અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે બુમરાહ ઈજામાંથી સાજો થઈ ગયો છે અને તે 4 મેચોની ટેસ્ટ સિરીઝની છેલ્લી બે મેચ રમી શકે છે.

પરંતુ હવે મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે બુમરાહ આખી સિરીઝમાંથી બહાર છે. જો કે, તે પછી બુમરાહ ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની ડોમેસ્ટિક વનડે સિરીઝમાં વાપસી કરશે.

બુમરાહ આ સમયે સ્વસ્થ થઈ ગયો છે.ઈજામાંથી સાજો થઇ ગયો છે.તે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં પુનર્વસન માટે છે.બુમરાહે પણ બોલિંગ શરૂ કરી દીધી છે.પરંતુ ભારતીય ટીમ મેનેજમેન્ટની થિંક ટેન્ક બુમરાહને લઈને જોખમ લેવા માંગતી નથી.આ જ કારણ છે કે તેણે બુમરાહને ટેસ્ટ સિરીઝમાંથી બહાર રાખ્યો છે.

આ વર્ષે ભારતની યજમાનીમાં ODI વર્લ્ડ કપ રમાવાનો છે.આવી સ્થિતિમાં બુમરાહની હાજરી વર્લ્ડ કપમાં ભારત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

29 વર્ષીય બુમરાહે પીઠની ઈજાને કારણે ગયા વર્ષે સપ્ટેમ્બરથી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી.ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે પણ તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો.જોકે તેણે NCAમાં નેટ પર બોલિંગ શરૂ કરી દીધી છે. તેમ છતાં,સિરીઝમાંથી તેના બહાર નીકળવાના આ સમાચારે ચાહકોને નિરાશ કર્યા છે.