Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાના વધુ 14,120 કેસ નોંધાયાઃ 174નાં મોત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યમાં કોવિડ-19ના 24 કલાકમાં 14,120 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આ મહામારીને કારણે વધુ 174 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે, 8595 દર્દીઓ સાજા થઈ પોતોના ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 3,98,824 દર્દીઓ કોરોનાને મહાત્  આપી ચુક્યા છે.  આજે 174 લોકોના કોરોનાથી મોત થયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 26 લોકો અને સુરત શહેરમાં 16 લોકોના મોત થયા હતા. રાજ્યનો રિકવરી રેટ 74,01 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદ શહેરમાં 5672  અને અમદાવાદ જિલ્લામાં 68,  સુરત શહેરમાં 1764, અને જિલ્લામાં 352, વડોદરા શહેરમાં 622, અને જિલ્લામાં 236, રાજકોટ શહેરમાં 363, અને જિલ્લામાં 71,  જામનગર શહેરમાં 407, અને જિલ્લામાં 314,  ભાવનગર શહેરમાં 250, અને જિલ્લામાં 135, ગાંધીનગર શહેરમાં 162, અને જિલ્લામાં 162, પાટણમાં 180, મહેસાણામાં 491, દાહોદમાં 181, પંચમહાલમાં 123, બનાસકાંઠામાં 233,  ભરુચમાં 123, ખેડામાં 139, મોરબીમાં 74,  કચ્છમાં 183, આણંદમાં 109, મહિસાગરમાં 155, નવસારીમાં 140,   સહિત કુલ 14,120  કેસ નોંધાયા છે. રાજયમાં આજે કુલ 47,432  લોકોને પ્રથમ રસીનો ડોઝ અપાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોથી 3,98,824 દર્દીઓએ કોરોનાને મહાત આપી હતી.