Site icon Revoi.in

દેશની પ્રથમ મહિલા જાસૂસ નીરા આર્યના સ્મારકનું 26 જાન્યુઆરીએ ઉદ્ઘાટન થશે

Social Share

દેશની પ્રથમ મહિલા જાસૂસ નીરા આર્યનું સ્મારક અને પુસ્તકાલય તૈયાર છે. આ સ્મારકનું ઉદ્ઘાટન 26 જાન્યુઆરીએ કરવામાં આવશે. નીરા આર્ય આઝાદ હિંદ ફોજમાં રાણી ઝાંસી રેજિમેન્ટની સૈનિક હતી. નીરા આર્યના જન્મસ્થળ, બાગપતના ખેકરા પટ્ટીના ગિરધરપુરમાં બનેલ સ્મારક અને પુસ્તકાલયની સ્થાપના સાહિત્યકારો તેજપાલ સિંહ ધામા અને મધુ ધામાએ કરી છે. જેનું ઉદ્ઘાટન ચાણક્ય ફેમના પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક ચંદ્રપ્રકાશ દ્વિવેદી, ફિલ્મ નિર્માતા વિશાલ ત્યાગી અને ધારાસભ્ય યોગેશ ધામાના હસ્તે કરવામાં આવશે.

સાહિત્યકાર તેજપાલ ધામાએ જણાવ્યું હતું કે, આઝાદ હિંદ ફોજના અમર સેનાની વીરાંગના નીરા આર્યની યાદમાં બનાવવામાં આવેલ સ્મારક અને પુસ્તકાલયનું ઉદ્ઘાટન 26 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યે કરવામાં આવશે. જેનું ઉદ્ઘાટન ચાણક્ય ફેમના પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક ચંદ્રપ્રકાશ દ્વિવેદી, ફિલ્મ નિર્માતા વિશાલ ત્યાગી અને ધારાસભ્ય યોગેશ ધામાના હસ્તે કરવામાં આવશે. ખેકરાના ગિરધરપુર પટ્ટામાં નીરા આર્ય સ્મારક અને પુસ્તકાલયની સ્થાપના કરવામાં આવી છે. તેના બાંધકામમાં જમીનની કિંમત સહિત અંદાજે 70 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. નીરા આર્યની પ્રતિમાની સાથે અહીં સીતકૌર દેવીની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે. બે માળના આ સ્મારકમાં નીચે એક પ્રતિમા અને પુસ્તકાલય બનાવવામાં આવ્યું છે અને ઉપરના માળે ગરીબ છોકરીઓને મફત ટેલરિંગ શીખવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.