Site icon Revoi.in

ઈડરના મુડેટી ખાતે ભગવાનયાજ્ઞવલ્ક્ય વેદતત્ત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા નવાસુંકલના ત્રિ-દિવસીય ઉદ્દધાટન સમારોહનું આયોજન

Social Share

હિંમતનગર, 3 એપ્રિલ 2026: સાબરકાંઠાના ઈડર તાલુકાના મુડેટી ખાતે ભગવાનયાજ્ઞવલ્ક્ય વેદતત્ત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા નવાસુંકલના ત્રિ-દિવસીય ઉદ્દધાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. 4 એપ્રિલના શનિવારના રોજ સવારે 9.30 કલાકે નવા સંકુલનું ઉદ્દઘાટન કરવામાં આવશે. અનન્તશ્રી વિભૂષિત પશ્ચિમામ્નાય દ્વારકા શારદાપીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનન્દ સરસ્વતીજી મહારાજ, પૂજ્ય શાંતિગીરીજી મહારાજશ્રી, પૂજ્ય શ્યામસુંદરદાસજી મહારાજશ્રી આશીર્વાદથી આયોજીત આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, અતિથિ વિશેષ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી, શિક્ષણમંત્રી પ્રદ્યુમનભાઈ વાજા, રિવાબા જાડેજા, રાજ્યમંત્રી પી.સી.બંરડા, બાજપના મહામંત્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા, સાંસદ રમિલાબેન બારા, રમણભાઈ વોરા, સાબરકાંઠાના કલેક્ટર લલિત નારાયણસિંઘ-સાંદુ અને સાબરકાંઠા ભાજપના પ્રમુખ કનુભાઈ પટેલ સહિતના મહાનુભાવો આ પ્રસંગ્રે હાજર રહેશે. તા. 2 એપ્રિલથી શરૂ થયેલા આ ત્રિ-દિવસીય સમારોહમાં વિદ્યાલયના નવા ભવનનું ઉદ્દઘાટન અને ‘દસ મહાવિદ્યા સાધના’-એક અભ્યાસ (શાસ્ત્રી શૈશવ દેસાઈ) નામના પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું છે.

Exit mobile version