Site icon Revoi.in

એક્ટર વિદ્યુત જામવાલ એ ડિઝાઈનર નંદિતા મહતાની સાથે ફાઈનલી સગાઈ કરી હોવાની વાતનો કર્યો સ્વીકારઃ-ફોટો શેર કરીને ફેંસને આપ્યા ન્યૂઝ

Social Share

મુંબઈઃ- બોલિવૂડ જગતમાં અવાર નવાર અનેક અફવાઓ જોર પકડતી હોય છે, ત્યારે થોડા સમય પહેલા જાણીતી ફેશન ડિઝાઈનર નંદિતા મહતાની અને એક્ટર વિદ્યુત જામવાલનો અકે ફોટો વાયરલ થયો હતો તેમાં નંદિતાના હાથમાં એક રિંગને જોઈને તે બન્નેની સગાઈના ન્યૂઝની ચર્ચાઓ ફેલાઈ હતી, ત્યારે હવે વિદ્યુક અને નંદિતાએ ખરેખર સગાઈ કરી લીઘી હોવાની વાતનો ખુલાસો પોતે સોશિયલ મીડિયા થકી કર્યો છે.

થોડા દિવસ પહેલા તાજમહેલ પાસે પોઝ આપતો એક ફોટો જોવા મળ્યો હતો,નંદિતાની વીટિંએ તરફ લોકોનું ધ્યાન કેન્દ્રિત થયું હતું ત્યારે હવે આ કપલે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને બન્ને સગાઈ કરી લીઘી હોવાનો ખુલાસો કર્યો છે.

વિદ્યુતે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને જણઆવ્યું છે કે, તેની અને નંદિતાની સગાઈ 1લી સપ્ટેમ્બરના રોજ થી ચૂકી છે, તેમણે બન્નેનો ફોટો પણ શેર કર્યો છે,જેમાં એક ફોટોમાં તે અને નંદિતા રૈપલિંગ કરતા જોવા મળ્યા છે અને કેમેરા તરફ ધ્યાન આપી રહ્યા છે. બીજા એક ફોટોમાં  તેઓ તાજ મહેલ સામે ઊભા રહેલા જોવા મળ્યા છે.આ ફોટો તાજમહેલની પાછળથી લેવામાં આવ્યો છે.