Site icon Revoi.in

ચોમાસાની સિઝનમાં આવતા તાવ ,શરદી અને ખાસીમાં અપનાવો આ ઘરેલું નુસ્ખા,ડોક્ટર પાસે જતા પહેલા આટલી કરો કેર

Social Share

ચોમાસુ આવતાની સાથે જ શરદી,ખાસી અને તાવ જેવી બીમારીઓ થવા લાગે છે, મોટા ભાગના લોકોને તાવ પણ આવી જાય છે આવી સમસ્યા સર્જાય ત્યારે પહેલા ઘરેલું નુસ્ખા અપનાવી લો, જો વધુ તાવ હોય. તો સીધા ડોક્ટર પાસે જવું પણ જો વરસાદમાં ભીંજાયા બાદ નોર્મલ તાવ કે શરદી હોય ત્યારે તમે નીચે જણાવેલા નુસ્ખાઓ ફોલો કરી શકો છો જેનાથી તમને ઘણી રાહત મળશે.

વરીયાળી

અનેક મસાલા એવા છે કે જેમાં એન્ટિ-માઇક્રોબાયલ અથવા એન્ટિ-વાયરલ ગુણધર્મો છે. તેમાં વરિયાળી પણ છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વરિયાળીના અર્કમાં એવા વાઈરસને મારી નાખવાની ક્ષમતા હોય છે જે પ્રાણીઓમાં શ્વસન સંબંધી ચેપનું કારણ બને છે. તેમાં બળતરા ઘટાડવાની ક્ષમતા પણ છે.

મુલેઠી

મૂલેઠીમાં ખૂબ જ મજબૂત એન્ટિવાયરલ ગુણધર્મો છે. તે ન્યુમોનિયા અને શ્વસન સાથે સંકળાયેલા ઘણા વાયરસને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. તમે લિકરિસને ગરમ પાણીમાં ઉકાળીને અથવા ચામાં ઉમેરીને પી શકો છો.

આદુ

આપણે ત્યા દરેક ઘરોમાં આદુનો ખૂબ ઉપયોગ થાય છે. વરસાદની મોસમમાં તેને ચામાં નાખવાનું ક્યારેય ભૂલશો નહીં. તેમાં એન્ટિવાયરલ ગુણધર્મો પણ છે. તે ઘણી બધી એલર્જીને રોકવામાં પણ મદદ કરે છે. આદુને પીસીને તેમાં મધ મિક્સ કરીને ખાશો તો પણ તમને ઘણી રાહત મળશે.

આમળા

આયુર્વેદમાં આમળાને ત્રિદોષનો નાશ કરનાર માનવામાં આવે છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિને ટેકો આપે છે અને ઝડપી પુનઃપ્રાપ્તિમાં મદદ કરે છે.

હળદરનું દૂધ

હળદરના દૂધને ગોલ્ડન મિલ્ક પણ કહેવામાં આવે છે. દૂધમાં કેલ્શિયમ હોય છે, જે વાયરસને નબળા પાડે છે. તેમાં હળદર અને કાળા મરી ઉમેરીને પીવાથી તેના ગુણો વધુ વધે છે. જ્યારે શરદી ખાસી તાવ હોય ત્યારે આ દૂધનું સેવન કરી શકો છો.

નીલગરીનું તેલ

આ તેલને ગરમ પાણીમાં 2 ટીપા નાખો ત્યાર બાદ તેની સ્ટિમ લો આમ કરવાથી નાક ખુલશે અને તાવમાં પણ રાહત થશે,