Site icon Revoi.in

અમદાવાદઃ 50 ટકા કેપેસિટી સાથે AMTS અને BRTS સેવાનો પ્રારંભ

Social Share

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે ફરીથી વેપાર-ધંધા શરૂ થઈ રહ્યાં છે. બીજી તરફ લોકોને પરિવહનની સેવા મળી રહે તે માટે કોર્પોરેશન દ્વારા AMTS અને BRTS સેવાનો ફરીથી આરંભ કરવામાં આવ્યો છે. કોરોનાની ગાઈડલાઈન અનુસાર હાલ 50 ટકા કેપેસિટી સાથે આ સેવાની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત શહેરમાં પણ કોર્પોરેશન દ્વારા કેટલાક રૂટ ઉપર સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં કોરોનાને કારણે કોર્પોરેશન દ્વારા એએમટીએસ અને બીઆરટીએસ સેવાઓ બંધ કરવામાં આવી હતી. કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે, છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેથી ધાર્મિક સ્થળો અને બજારો નિયમ અનુસાર ફરીથી શરૂ થયાં છે.

અમદાવાદ શહેરમાં પણ શહેરીજનોને પરિવહનની સેવાનો લાભ મળી રહે તે માટે 50 ટકા મુસાફરોની કેપિસિટી સાથે બસ સુવિધાને શરૂ કરવામાં આવી છે.  શહેરના માર્ગો ઉપર AMTSની 575 અને BRTSની 250 બસ દોડતી થઈ છે. સુરત શહેરમાં પણ મ્યુનિસિર્પલ કોર્પોરેશને સિટી બસ સેવા ફરી શરૂ કરી છે, સુરતમાં પણ કોરોના સંક્રમણ ઓછું થતા SMC હવે સિટી બસ સેવા તબક્કાવાર અનલોક કરવા તરફ આગળ વધી રહી છે સુરતમાં સિટી બસના વધુ 4 રૂટ શરૂ કરાયા છે જેમાં એરપોર્ટ, ડિંડોલી, ખજોદ, પાંડેસરા હાઉસિંગના રૂટ શરૂ કરાયા છે. સુરત શહેરમાં કોરોના સંક્રમણ ઘટતા મહાનગર પાલિકાએ બસના રૂટ નક્કી કર્યા છે.