1. Home
  2. Tag "amdavad"

અમદાવાદઃ સાબરમતી નદીમાંથી મનપાના કર્મચારીની લાશ મળી, પોલીસ તંત્ર દોડતું થયું

અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક કર્મચારીની લાશ મળી આવી હતી. આ કર્મચારીએ આત્મહત્યા કરી હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ આરંભી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગમાં સબ ઈન્સ્પેસ્ટર તરીકે ફરજ બજાવતો જયદીપ પટેલ (રહે, પાલડી, અમદાવાદ) નામનો યુવાને મંગળવારે […]

અમદાવાદમાં બે જૂથ ઉપર આવકવેરા વિભાગના દરોડા, 13 સ્થળો ઉપર સર્ચ-સર્વે

આઈટીના 75થી વધારે અધિકારીઓ દરોડામાં જોડાયાં પોલીસ બંદોબસ્ત સાથે સર્ચ-સર્વેની કામગીરી હાથ ધરાઈ દરોડાના અંતે કરોડોની કરચોરી ઝડપાવવાની આશા અમદાવાદઃ ગુજરાતમાં આવકવેરા વિભાગે ફરી એકવાર દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. અમદાવાજમાં જાણીતા બે જૂથ ઉપર દરોડા પાડ્યાં હતા. ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા જૂથ ઉપર દરોડાને પગલે આ વ્યવસાય સાથે જોડાયેલા અન્ય જૂથના સંચાલકોમાં […]

લોકસભા ચૂંટણીઃ અમદાવાદ શહેર અને જિલ્લાના 60,39 લાખ મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ

અમદાવાદઃ આગામી 7 મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. ચૂંટણીને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વગ્રાહી કામગીરી હાથ ધરાઈ છે. ચૂંટણી પ્રક્રિયામાં સૌથી મહત્ત્વનું પરિબળ એટલે મતદાર અને મતદાન. અમદાવાદ શહેર જિલ્લામાં મતદારોનું વૈવિધ્ય જોઈએ તો કુલ 60,39,145 મતદારો પૈકી 31,33,284 પુરુષ અને 29,05,622 મહિલા મતદારો છે, જ્યારે 30,730 દિવ્યાંગ મતદારો છે. ભારતીય […]

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં બે વિદેશી બાળકોની અત્યંત જટિલ બ્લેડર એસ્ટ્રોફીની સફળ સર્જરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલે ફરી એક વખત મેડિકલ ટુરીઝમનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બે વિદેશી બાળકોની બ્લેડર એસ્ટ્રોફી એટલે કે પેશાબની કોથળીમાં સમસ્યા હોય તેની સફળ સર્જરી કરીને બાળકોને પીડા મુક્ત કરાયા છે. બંને કિસ્સાની વિગતો જોઇએ તો, બાંગ્લાદેશના રાજીબ દાસની 3 વર્ષની દીકરી પ્રિયા ગોપિકા દાસને બ્લેડર એક્સસ્ટ્રોફીની તકલીફ હોવાનું નિદાન થયું […]

સંદેશખાલીમાં SC/ST સમાજની હિન્દુ મહિલાઓ સાથે થયેલા અત્યાચાર-શારિરીક શોષણ મામલે કલેક્ટરને આવેદન પત્ર અપાયું

અમદાવાદઃ ‘સામાજિક સમરસતા મચં ’ દ્વારા આજે પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના પરિવારો અને ખાસ કરીને મહિલાઓ પર અમાનવીય અત્યાચારો અને હિંસાનું મોટા પ્રમાણમાં ષડયંત્ર સામે આવ્યું છે તેને વખોડતા અને પીડિતોને ન્યાય અને કાવતરાખોરોને સખત સજા કરવામાં આવે તેની માગં કરતું આવેદન “સામાજિક સમરસતા મંચ, ગુજરાત” દ્વારા અમદાવાદના કલેકટરને આપવા આવ્યું હતું. […]

એનઆઈએમસીજેમાં “મેરા પહેલા વોટ દેશ કે લિયે” યુવા મતદાર જાગૃતિ અભિયાન યોજાશે

અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન પ્રેરિત નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (એનઆઈએમસીજે) ખાતે આગામી બુધવારે, છ માર્ચના રોજ “મેરા પહેલા વોટ દેશ કે લિયે” યુવા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. ઉદ્યોગ મંત્રીના અંગત સચિવ અને એડિશનલ કલેકટર પ્રદીપસિંહ રાઠોડ વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા અને મતદાન જાગૃતિ વિશે માહિતી આપશે. […]

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત અનેક સ્થળોએ કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતામાં મુકાયાં

અમદાવાદઃ ગુજરાતમાં 3 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં આજે સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. દરમિયાન ઉત્તરગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. અમદાવાદમાં સવારથી જ આકાશ વાદળછાયુ રહ્યું હતું. દરમિયાન બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. […]

ગુજરાતની 8 નદીઓ પ્રદૂષણ મુક્ત, સાબરમતી નદીના પાણીની ગુણવત્તામાં સુધારાનો સરકારનો દાવો

અમદાવાદઃ સાબરમતી નદીના પ્રદૂષણ માટે હાઇકોર્ટમાં થયેલ PIL ના પગલે આ તમામ સંયુક્ત શુધ્ધિકરણ પ્લાન્ટનું NEERI જેવી રાષ્ટ્રની પ્રથમ પંક્તિની પર્યાવરણ સંસ્થા પાસે અભ્યાસ કરાવડાવી સીઇટીપીમાં સુધારો વધારો કરવામાં આવ્યો છે.આ સુધારાને પરીણામે હાલમાં મેગા પાઈલપાઈન જે કે આ સંયુક્ત શુધ્ધિકરણ પ્લાન્ટના પાણીનું વહન કરે છે તેની ગુણવત્તામાં છેલ્લા ૨ વર્ષમાં અંદાજે 30% થી વધુ સુધારો […]

અમદાવાદમાં થલતેજ ખાતે શ્રી સાંઈધામ સનાતન મંદિરનું ખાતમુહૂર્ત કરાયું

અમદાવાદઃ શહેરના થલતેજ ખાતે  નવનિર્મિત થનાર શ્રી સાંઈધામ મંદિરનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મહંત શ્રી મોહનદાસજી મહારાજ તથા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે  નવનિર્મિત થનાર મંદિરનું ભૂમિપૂજન કરાયું હતું. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સૌ ભક્તોએ ‘જય શ્રી રામ‘ નો જયઘોષ કર્યો હતો.  આ […]

મીડિયોત્સવ-2024માં સ્પર્ધા મનોરંજન અને માહિતીનો સંગમ થયો

અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન પ્રેરિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ એનઆઈએમસીજે દ્વારા રવિવારે મિડીયોત્સવ-૨૦૨૪નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયા શિક્ષણ સાથે સંકળાયેલા અને અન્ય અભ્યાસક્રમોમાં ભણતા 30 જેટલી કોલેજના 130થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનો પ્રારંભ તાજેતરમાં રિલીઝ થયેલી ભાતીગળ ગુજરાતી ફિલ્મ ‘કસુંબો’ના નિર્માતા-નિર્દેશક વિજયગીરી બાવાની વિશેષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code