અમદાવાદઃ સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, અમદાવાદ -રાજકોટ રાષ્ટ્રીય ધોરી માર્ગ 31મી ડિસેમ્બર 2023 સ્થિતિએ 90 ટકા કામગીરી ભૌતિક રીતે પૂર્ણ કરવામાં આવી છે તેમજ તમામ કામગીરી 31મી માર્ચ 2024 સુધીમાં પૂર્ણ કરાશે.
અમદાવાદ- રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 47 તથા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27ની તમામ પ્રક્રિયાઓ ઓનલાઇન કરવામાં આવી છે, તેમજ પારદર્શક વહીવટી પ્રક્રિયાઓ દ્વારા રાષ્ટ્રીય ધોરી માર્ગમાં સલામતી સહિત અનેક બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવી છે.
કામગીરીના વિલંબના ઉત્તરમાં મંત્રીએ જણાવ્યું કે કોરોના મહામારી વિલંબ માટે કારણ ભૂત છે પરંતુ ઝડપથી પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયાસરત છે .મંત્રીએ જણાવ્યું કે રાજ્ય ભંડોળમાંથી છ માર્ગીય રસ્તાના માટે રૂ. 2620 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.