Site icon Revoi.in

કોરોના સંક્રમિત થયા બાદ અક્ષય કુમારની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા દાખલ

Social Share

મુંબઈ : બોલિવુડના એક્શન સ્ટાર અક્ષય કુમારને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો મુજબ કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ હવે અક્ષય કુમારની તબિયત લથડી છે. કહેવામાં આવી રહ્યું છે કે, અક્ષય કુમારને પવઈ સ્થિત હિરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, અક્ષય કુમાર અથવા તેની ટીમ વતી અભિનેતાની હોસ્પિટલમાં દાખલ થવા અંગે હજી સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.

આ પહેલા અક્ષય કુમારે કોવિડ -19 નો શિકાર થયાના સમાચાર પોતાના ચાહકો સાથે શેર કર્યા હતા. તેણે સોશિયલ મીડિયા દ્વારા કહ્યું હતું કે, તે હોમ ક્વોરેનટાઇન છે. અક્ષયે ચાહકોને ખાતરી આપી હતી કે તે ટૂંક સમયમાં પરત ફરશે. આ સાથે તેમણે વિનંતી પણ કરી કે જે લોકો થોડા દિવસો પહેલા મારા સંપર્કમાં આવ્યા છે, તેઓએ પણ તેમનો કોરોના ટેસ્ટ કરાવવો જોઈએ.

અક્ષય કુમારે હાલમાં જ જેક્લીન ફર્નાન્ડિઝ અને નુસરત ભરૂચા સાથે તેની આગામી ફિલ્મ રામ સેતુનું શૂટિંગ શરૂ કર્યું હતું. આ સિવાય અક્ષય કુમારે થોડા દિવસો પહેલા ફિલ્મ ‘અતરંગી રે’ નું શૂટિંગ પૂર્ણ કર્યું હતું. આનંદ એલ રાયની ફિલ્મમાં અક્ષય પહેલીવાર ધનુષ અને સારા અલી ખાન સાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે. અક્ષયના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તેના ચાહકો ઘણા સમયથી અક્ષય કુમારની બીજી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે અને તે છે ‘સૂર્યવંશી’. ‘સૂર્યવંશી’ રિલીઝ થવાની તૈયારીમાં છે, પરંતુ ફિલ્મ મેકર્સ હાલ તેની રિલીઝ ડેટને લઈને કોઈ નિશ્ચિત નિર્ણય લઇ શક્યા નથી.

દેવાંશી