Site icon Revoi.in

કોરોનાના વધતા ડર વચ્ચે પીએમ મોદીએ મહત્વની બેઠક બોલાવી –  અમિત શાહ સિવાય અનેક રાજ્યાના મંત્રીઓ ઉપસ્થિતિ રહેશે

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો હવે ડર જોવા મળી રહ્યો છે કારણ કે વિશ્વભરમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો છએ ખાસ કરીને કોરોનાની જ્યાથી ઉત્પતિ થઈ હતી તેવા દેશ ચીનમાં કોરોના જીવલેણ બનતો જઈ રહ્યો છે,સતત કોરોનાએ તબાહી મચાવી છે ત્યારે હવે ભારત દેશે પણ અનેક પ્રોટોકોલનું પાલન કરવા માટેની એડવાઈઝરી જારી કરી છએ.

ત્યારે હવે વધુ વિગત પ્રમાણે કોરોનાનો ડર વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ મહત્વની બેઠકનું આયોજન કર્યું છે તેમણે એક મહત્વની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સિવાય ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત ઘણા મોટા અધિકારીઓ પણ ભાગ લઈ રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં દેશના વિવિધ રાજ્યોમાં ઓમિક્રોનના નવા સબ-વેરિઅન્ટ BF.7ના કેસ મળ્યા બાદ પીએમ મોદીએ આ બેઠક બોલાવી છે.

સરકાર પહેલા જ વિદેશથી આવવાની રૅન્ડમિંગ ટેસ્ટિંગ શરૂ કરે છે. સૂત્રો કહે છે કે આગામી સાત દિવસોમાં ક્વૉરન્ટીન અને તપાસ માટે આગળની શરૂઆત ફરી શરૂ કરવાની સંભાવના છે. રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં બંને દર્દીઓને હોમ આઈસોલેશનમાં સારવાર આપવામાં આવી હતી અને હવે તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. અહેવાલો અનુસાર, હાલમાં દેશમાં કોવિડના 10 પ્રકારો છે, જેમાંથી નવીનતમ BF.7 છે. ચીને તેના કડક કોવિડ પ્રતિબંધો ખતમ કર્યા પછી કોવિડના કેસોમાં મોટાપાયે વધારો થવાથી વૈશ્વિક ચિંતા વધી છે.ત્યારે આ બાબતે લઈને ભારતની પણ ચિંતા વધી છે.

નવા વેરિએન્ટ BF.7 ની પુષ્ટિ થઈ ગઈ છે.  ગુજરાત અને ઓડિશામાં નવા કેસ રિપોર્ટ થયેલા છે. જો કે સારા સમાચાર એ છે કે આ દર્દીઓ સાજા થઈ ગયા છે. સરકારે કહ્યું કે ગભરાવવાની જરૂર નથી. ભારત સરકાર એકદમ અલર્ટ મોડ પર છે અને ટેસ્ટિંગ વધારવા પર ભાર આપી રહી છે. પીએમ મોદી આજે કોવિડની સ્થિતિની સમીક્ષા કરશે.

કોરોના મામલે સરકારે કહ્યું કે ગભરાવવાની જરૂર નથી. ભારત સરકાર એકદમ અલર્ટ મોડ પર છે અને ટેસ્ટિંગ વધારવા પર ભાર આપી રહી છે. પીએમ મોદી આજે કોવિડની સ્થિતિની સમીક્ષા કરી હતી.ઉલ્લેખનીય છે કે  ગઈકાલે આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા દ્વારા બોલાવવામાં આવેલી બેઠક પછી, કેન્દ્રએ માસ્કનો ઉપયોગ અને કોવિડ-યોગ્ય વર્તન કરવાની સલાહ આપી હતી, પરંતુ હાલમાં કોઈ પ્રોટોકોલ નથી.

Exit mobile version