Site icon Revoi.in

ઈન્ડિયા vs ઈંગ્લેન્ડને લઈને કરેલા ટ્વિટથી અમિતાભ બચ્ચન થઈ રહ્યા છે ટ્રોલ – જાણો શું કહી રહ્યા છે યૂઝર્સ

Social Share

મુંબઈ – બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહેતા સ્ટાર છે,ક્યારેક તેઓ તેમના સાથે જોડાયેલા જૂના ફોટોઝ શેર કરતા હોય છે તો ક્યારેક પોતાના ચાહકોના સવાલો પર કોમેન્ટ્સ કરતા પણ જોવા મળે છે.જો કે હાલમાં બિગબી એ કરેલા એક ટ્વિટથી તેમણે ટ્રોલ થવાનો વારો આવ્યો છે, આ ટ્વિટ બાદ તેઓને યૂઝર્સ દ્રારા અવનવા જવાબો મળી રહ્યા છે.

ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડ સાથેની ટેસ્ટ મેચમાં સતત બે ટેસ્ટ જીતી હતી. અમિતાભ બચ્ચને શ્રેણીની છેલ્લી ટેસ્ટના પહેલા દિવસે ps ટ્વિટ કર્યું હતું જેને લઈને તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા.

અમિતાભે 4 માર્ચ, 2021 ના ​​રોજ ભારતીય બોલરોના પ્રદર્શનને લઈને ટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું કે. આ એક અજીબ સંયોગ છે કે ભારતના બોલરોમાં ચાર વિકેટ અક્ષર પટેલ, ત્રણ વિકેટ આર અશ્વિન, બે વિકેટ મોહમ્મદ સિરાજ અને એક વિકેટ વોશિંગ્ટન સુંદર લીધે છે.

આમ એભિનેતા એ દિવસની તારીખ કે જે 4-3-021 હતી તેની વાત કહી હતી, જો કે તેમનો ટ્વિટ કરવાનો હેતું આજ હતો જો કે આ સામાન્ય વાતને લઈને યૂઝર્સ તેમને અવનવા જવાબો આપી રહ્યા છએ,

એક યૂઝર્સ એ મીમ્સ પોસ્ટ ક્રયું છે કે,  ઉઠા લેરે બાબા ઉઠા લે, તો કોઈ બીજા યૂઝર્સ એ લખ્યું છે કે, થેંક્સ સર, મારાફોનનો  રેગ્યૂલેટર પણ 4321 છે, કોઈ કહી રહ્યું છે કે સર શું થયઈ ગયુ છે તમને. આમ અનેક યૂઝર્સ બિગબીના આ આ ટ્વિટ પર જવાબ આપી રહ્યા છે.

સાહિન-