Site icon Revoi.in

શિયાળામાં ચહેરો ધોયા બાદ લગાવો આ વસ્તુઓ,ઈન્સ્ટન્ટ ગ્લોથી ચમકશે ત્વચા

Social Share

બદલાતી ઋતુની સાથે ત્વચાની ખાસ કાળજી લેવી પડે છે.ખાસ કરીને શિયાળામાં તાપમાનના કારણે ત્વચા ખૂબ જ ડ્રાય થઈ જાય છે, આવી સ્થિતિમાં જો ત્વચાની કાળજી લેવામાં ન આવે તો ડ્રાયનેસ, રેશેઝ અને ખંજવાળ જેવી સમસ્યાઓ શરૂ થાય છે.શિયાળામાં ત્વચાની ખાસ કાળજી લઈને તમે ત્વચાની સમસ્યાઓને દૂર રાખી શકો છો.ખાસ કરીને આ સિઝનમાં ત્વચાની ભેજ જતી રહે છે. જો તમે ઇચ્છો છો કે,ત્વચા સારી રીતે મોઇશ્ચરાઇઝ થાય, તો તમારે આ 4 વસ્તુઓનો ચહેરો ધોયા પછી અવશ્ય ઉપયોગ કરવો.તો આવો જાણીએ તેમના વિશે…

આ વસ્તુઓથી ચહેરો ધોયા પછી ત્વચામાં ચમક આવશે

નિષ્ણાતોના મતે ત્વચાની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે.ચમકતી ત્વચા પણ સારા સ્વાસ્થ્યની નિશાની માનવામાં આવે છે.આ સિવાય શિયાળામાં ચહેરો ધોયા પછી તમે ત્વચા પર નારિયેળ તેલ લગાવી શકો છો.ગ્લોઈંગ સ્કિન માટે તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

વિટામિન-ઇ ઓઈલ

શિયાળામાં ત્વચાને કોમળ બનાવવા માટે તમે વિટામિન-ઈ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે.આ સિવાય વિટામિન-ઈ ઓઈલથી ત્વચાની રચના પણ સારી રહે છે.તમે તમારા ચહેરાને ધોયા પછી નિયમિતપણે વિટામિન-ઇ ઓઈલનો ઉપયોગ કરી શકો છો.

ઓલિવ ઓઈલ

તમે શિયાળામાં ત્વચા પર ઓલિવ ઓઈલ પણ લગાવી શકો છો.આનાથી તમારી ત્વચામાં ભેજ પણ આવે છે અને ત્વચા પણ ચમકદાર બને છે.તમારી ત્વચા પર એક ચમચી ઓલિવ તેલ લગાવો.ત્વચા પર 10-15 મિનિટ સુધી મસાજ કરો. તમને ઘણો ફાયદો થશે.

બદામનું તેલ

શિયાળામાં ચહેરો ધોયા પછી તમે બદામનું તેલ લગાવી શકો છો.તે તમારી ત્વચાને ચમકદાર બનાવવામાં પણ મદદ કરે છે.તેમાં રહેલા પોષક તત્વો ત્વચાને નિખારવામાં મદદ કરે છે.તમે તેને રાત્રે ચહેરો ધોયા પછી ત્વચા પર લગાવી શકો છો, તેનાથી તમને ત્વચાના વધુ ફાયદા થશે.

એલોવેરા અને મધ

એલોવેરા અને મધ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, તમે આ બંને વસ્તુઓનું મિશ્રણ ત્વચા પર લગાવી શકો છો.શિયાળામાં આ મિશ્રણ તમારી ત્વચાની શુષ્કતા દૂર કરશે અને ચહેરા પર ચમક પણ લાવશે.

Exit mobile version