Site icon Revoi.in

આસામ બીજુ જમ્મુ-કાશ્મીર બની શકે છેઃ CM હિમંતા બિસવા

Social Share

ગુવાહાટી: આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ને વિનંતી કરી હતી કે તે હિન્દુઓને ચોક્કસ સમુદાયના લોકો દ્વારા “આક્રમણ” થી બચાવે. હિમંતા બિસ્વાએ આરોપ લગાવ્યો કે પૂર્વોત્તર રાજ્ય બીજું જમ્મુ -કાશ્મીર બની શકે છે.

આસામમાં હિન્દુ લોકોની સુરક્ષા માટે હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે આરએસએસ તે કરી શકે છે કારણ કે તેની પાસે ગ્રાસરૂટ લેવલનું સંગઠન છે અને દૂરના વિસ્તારોમાં સામાન્ય લોકો સાથે મજબૂત બંધન છે.સરમાએ આસામના સિલચરમાં આરએસએસ મુખ્યાલયની મુલાકાત લીધી હતી.

મુખ્યાલય ખાતે બંધ દરવાજાની બેઠકને સંબોધતા તેમણે કહ્યું, “આસામ બીજું કાશ્મીર બનવા જઈ રહ્યું છે. દુશ્મનોની આક્રમકતાને કારણે લોકો ભયમાં છે. તે જ સમયે, ચાના પટ્ટા અને રાજ્યના દૂરના સરહદી વિસ્તારોમાં રહેતા હિન્દુઓ પણ મોટા પ્રમાણમાં આક્રમણને કારણે લુપ્ત થવાની આરે છે.આસામના મુખ્યમંત્રીએ આરએસએસને વિનંતી કરી કે તેઓ વિસ્તારોમાં જઈને સંસ્થાઓને સંકટથી બચાવવા માટે હિન્દુઓને એકીકૃત કરે.

સીએએ અને એનઆરસી પર ધ્યાન કેન્દ્રિત કરતા, સરમાએ કહ્યું કે “તે સાચું છે કે રાજ્યમાં કેટલાક લોકો બે મુદ્દાઓના કટ્ટર વિરોધી છે, જો કે, વસ્તુઓ બદલાવા લાગી છે. તાજેતરમાં મળેલા બુદ્ધિજીવીઓના સભ્યોએ મને સંદેશ આપ્યો કે બંગાળી હિન્દુઓ ક્યારેય આસામી સમુદાય માટે ખતરો નથી. આસામના લોકો હવે વાસ્તવિકતા સમજે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય સરકારે સીએએ અને એનઆરસીનો અમલ કરવામાં આવ્યો હતો. જેનો પૂર્વાંચલના રાજ્યોમાં વિરોધ થયો હતો.