1. Home
  2. Tag "Assam"

ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત પીએમ મોદીએ રામલલાના સૂર્ય તિલકના દર્શન કર્યાં

નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં રામ નવમીની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી છે. બીજી તરફ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમવાર રામ નવમીની ઉજવણી કરવામાં આવી છે. દરમિયાન આજે બપોરના સમયે પ્રભુ શ્રી રામની મૂર્તિને સૂર્ય તિલક કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ લોકસભાની ચૂંટણીને લઈને પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત છે. તેમ છતા સમય નીકળીને રામલલાને […]

આસામથી ઝડપાયો ISISનો ઈન્ડિયા ચીફ, ચૂંટણીમાં આતંક ફેલાવવાનો હતો બદઈરાદો

ધુબરી: આસામ પોલીસની સ્પેશયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ ભારત અને બાંગ્લાદેશ બોર્ડર નજીકથી કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા એટલે કે આઈએસઆઈએસની બે કેડરને એરેસ્ટ કરી છે. લોકસભા ચૂંટણી પહેલા આને મોટી સફળતા માનવામાં આવે છે. પોલીસે કહ્યું છે કે આઈએસઆઈએસ આતંકી ધુબરી જિલ્લા પાસે બાંગ્લાદેશથી ભારતમાં દાખલ થયા અને તેઓ રાજ્યમાં […]

આસામઃ CAAના વિરોધ મુદ્દે રાજકીય પાર્ટીઓને પોલીસની નોટિસ, તોડફોડ કરાશે તો કાર્યવાહી થશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન અધિનિયમનું નોટીફીકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. સીએએ કાયદો લાગુ થયા બાદ વિપક્ષી દળો તેનો વિરોધ કરી રહ્યાં છે. દરમિયાન આસામની રાજકીય પાર્ટીઓએ હડતાળનું એલાન કર્યું હતું. દરમિયાન આ રાજકીય પાર્ટીઓને ગુવાહાટી પોલીસે લીગલ નોટિસ પાઠવી છે અને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી છે કે, જો હડતાળ દરમિયાન કોઈ પણ […]

NRC માટે અરજી નહીં કરનારને નાગરિકતા મળશે તો રાજીનામું આપનાર પહેલો હોઈશ: આસામના CM

દિસપુર: આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટને લઈને મંગળવારે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યુ છે કે જો એનઆરસી માટે અરજી નહીં કરનાર વ્યક્તિને નાગરિકતા મળી ગઈ, તો તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, આસામના મુખ્યમંત્રીએ કહ્યુ છે કે જો એનઆરસી માટે અરજી નહીં કરનાર કોઈ વ્યક્તિને નાગરિકતા […]

આસામની ચાએ સમગ્ર વિશ્વમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કહ્યું હતું કે આસામની ચાએ સમગ્ર વિશ્વમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. તેમણે ચાના બગીચાના સમુદાયની તેમની સખત મહેનત માટે પ્રશંસા કરી હતી. Assam is known for its splendid tea gardens, and Assam Tea has made its way all over the world. I would like to laud the remarkable […]

આસામ: પીએમ મોદીએ કાઝીરંગા નેશનલ પાર્કમાં હાથી અને જીપ સફારીની મજા માણી

કાઝીરંગાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે આસામના કાઝીરંગા નેશનલ પાર્ક અને ટાઈગર રિઝર્વમાં હાથી અને જીપ સફારી આનંદ ઉઠાવ્યો હતો. યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) દ્વારા જાહેર કરાયેલ વર્લ્ડ હેરિટેજ સાઈટની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન, વડાપ્રધાન મોદીએ સૌપ્રથમ પાર્કની ‘સેન્ટ્રલ કોહોરા રેન્જ’ના મિહિમુખ વિસ્તારમાં હાથી પર સવારી કરી અને પછી એ જ […]

ગુજરાત અને આસામમાં ત્રણ સેમીકન્ડક્ટર એકમોને મોદી સરકારની મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ‘ભારતમાં સેમિકન્ડક્ટર્સના વિકાસ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ્સ’ હેઠળ ત્રણ સેમીકન્ડક્ટર એકમોની સ્થાપનાને મંજૂરી આપી હતી. ત્રણેય એકમો આગામી 100 દિવસની અંદર બાંધકામ શરૂ કરશે. ભારતમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમના વિકાસ માટેના કાર્યક્રમને 21મી ડિસેમ્બર 2021ના રોજ નોટિફાઇડ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ રૂ. 76,000 કરોડનો ખર્ચ થશે. […]

આસામમાં મુસ્લિમ વિવાહ અને તલાક નોંધણી કાયદાને રદ્દ કરાયો

નવી દિલ્હીઃ આસામના મુખ્યમંત્રી ડૉ.હિમંત બિસ્વા સરમાની સરકારે આસામ મુસ્લિમ વિવાહ અને તલાક નોંધણી કાયદાને રદ્દ કરી દીધો છે. રાજ્યની કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું કે, બાળલગ્નને નાબૂદ કરવાની દિશામાં આ મહત્ત્વપૂર્ણ પગલું છે. આ સાથે જ કેબિનેટ મંત્રી જયંત મલ્લ બરૂઆહે સમાન નાગરિક સંહિતાની દિશામાં આ નિર્ણયને […]

પ્રધાનમંત્રી 3થી 4 ફેબ્રુઆરીનાં રોજ ઓડિશા અને આસામની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3થી 4 ફેબ્રુઆરી, 2024નાં રોજ ઓડિશા અને આસામની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 3 ફેબ્રુઆરીનાં રોજ બપોરે 2:15 વાગ્યે ઓડિશાનાં સંબલપુરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન રૂ. 68,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ માળખાગત પરિયોજનાઓનું ઉદઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને શિલારોપણ કરશે. પછી પ્રધાનમંત્રી આસામની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી ચોથી ફેબ્રુઆરીનાં રોજ સવારે 11:30 વાગે ગુવાહાટીમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન રૂ. 11,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી […]

આસામમાં ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 14ના મોતની આશંકા

ગોલાઘાટ: આસામના ગોલાઘાટ જિલ્લામાં બુધવારે કોલસાનું વહન કરતી એક ટ્રક અને બસ વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે 30 લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. મૃત્યુઆંક વધવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગોલાઘાટ જિલ્લાના દેરગાંવ નજીક બાલીજાન પાસેથી મુસાફરો ભરેલી બસ પસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code