અયોધ્યા: રામ મંદિર સુધી પહોંચવાનો મુખ્ય માર્ગ શ્રી રામ જન્મભૂમિ પથ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. દર્શન માર્ગ પર પગ મૂકતાની સાથે જ ગુલાબી પથ્થરોથી બનેલો 12 મીટર ઊંચો પ્રવેશદ્વાર ભક્તોને એક જ નજરમાં આકર્ષે છે. આ પ્રવેશદ્વારનું બાંધકામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. તેનું ફિનિશિંગ કામ ચાલી રહ્યું છે.
રામજન્મભૂમિ માર્ગની બંને બાજુ મિર્ઝાપુરના ગુલાબી પત્થરોમાંથી 12-12 મીટર ઊંચા થાંભલાઓ બનાવવામાં આવ્યા છે. થાંભલાઓ વચ્ચેનું અંતર 30 મીટર છે. થાંભલાઓ પર ખૂબસૂરત કોતરણી કરવામાં આવી છે. સાથે જ રામજન્મભૂમિ માર્ગને સુશોભિત કરવાનું કામ પણ અંતિમ ચરણમાં પહોંચી ગયું છે.માર્ગની આસપાસ હરિયાળી વિકસાવવા માટે રામાયણ સંબંધિત રોપાઓ વાવવામાં આવશે. મુસાફરો માટે દર્શન માર્ગના ઉપરના ભાગને લોખંડની જાળી અને પ્લાસ્ટિકથી ઢાંકવામાં આવી રહ્યો છે જેને કેનોપી કહેવામાં આવે છે. આ કામ પણ લગભગ પૂર્ણ થઈ ગયું છે.
યાત્રીઓને રાત્રિના સમયે અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે કમાનવાળી લાઈટો લગાવવામાં આવશે. દર્શન માર્ગની જમણી બાજુએ દિવાલો પર ભવ્ય આકૃતિઓ કોતરવામાં આવી રહી છે. આ દિવાલો પર આકર્ષક લાઇટિંગ પણ કરવામાં આવશે. રામજન્મભૂમિ માર્ગ પર બેગેજ સ્કેનર અને અન્ય સુરક્ષા સાધનો લગાવવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ સુરક્ષા સાધનો 30 ડિસેમ્બર સુધીમાં લગાવવામાં આવશે.