Site icon Revoi.in

BCCI અધ્યક્ષ સૌરવ ગાગુંલીની તબિયત ફરી બગડી: એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ

Social Share

દિલ્હીઃ-BCCI પ્રમુખ અને પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન સૌરવ ગાંગુલીની તબિયત ફરી એકવાર લથડી છે. તેમને કોલકતાના એપોલો હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તેમણે હૃદયમાં ફરીથી દુખાવો થયાની ફરિયાદ કરી હતી.જેથી તેમને એપોલો હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.જેને લઈને ચાહકોમાં પણ ચિંતા વ્યાપી જવા પામી છે.

આ પહેલા સૌરવ ગાંગુલીને છાતીમાં દુખાવો થયા બાદ કોલકતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી કરાવી હતી. તેના હૃદયની ત્રણ ધમનીમાં અવરોધ દૂર કરવા માટે એક સ્ટેન્ટ મૂકવામાં આવ્યો હતો. બેંગ્લોરના પ્રસિદ્ધ ચિકિત્સક ડો.દેવી સેટ્ટી તેમને જોવા માટે કોલકતા આવ્યા હતા. ત્યારબાદ તેને થોડા દિવસો માટે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરવ ગાંગુલીએ ગતરાત્રીથી જ હળવા દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યારે આજે સવારે તેના ડોકટરોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ડોક્ટરોએ તેમને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી. ગ્રીન કોરિડોર બનાવીને સૌરવ ગાંગુલીને તેમના બેહલા સ્થિત નિવાસસ્થાનથી એપોલો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

દેવાંશી-