Site icon Revoi.in

અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરમાં કોવિડના નિયમોનું પાલન કરી દર્શન કરી શકાશે

Social Share

અમદાવાદ: શહેરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનું સંક્રમણ ન ફેલાય તે માટે ઘણા મંદિરો ભાવિકોના દર્શન માટે બંધ કરવામાં આવ્યા છે. પરંતુ ચૈત્રી નવરાત્રીનો મંગળવારથી પ્રારંભ થઈ રહ્યો છે. માતાજીની ભક્તિ માટેનું અનેરૂ પર્વ હોય શહેરના નગરદેવી ભદ્રકાળી માતાજીનું મંદિર માટે ખુલ્લુ રહેશે. ભાવિક ભક્તો કોવિડના નિયનોનું ચુસ્તપણે પાલન કરીને  માતાજીના દર્શન કરી શકાશે.

માં આદ્યશક્તિ આરાધનાના આ પર્વમાં મંદિરોમાં ભીડ ન થાય તે જરૂરી છે. ત્યારે અમદાવાદના નગર દેવી માં ભદ્રકાળીના મંદિરે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાનું સંક્રમણ વધે નહિ તે માટે મંદિર પ્રશાસન દ્વારા માતાજીના દર્શને આવનારા ભક્તોને ભીડ નહિ કરવા અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા તેમજ માસ્ક ફરજિયાત પહેરવા અપીલ કરવામાં આવી છે. ઘણા મંદિરોએ થતી ભક્તોની ભીડને જોતા મંદિર દર્શનાર્થીઓના દર્શન માટે બંધ કર્યા છે. જોકે, 13 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. તેવામાં અમદાવાદના નગરદેવી તરીકે ઓળખાતા ભદ્રકાળી માતાજીના મંદિરે ભક્તો માતાજીના દર્શન કરી શક્શે નવ દિવસ સુધી અલગ અલગ સવારી સાથે માતાજીનો શૃંગાર કરવામાં આવશે. નવરાત્રીને લઈ મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. જે પણ લોકો દર્શનાર્થે આવશે તેઓએ સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન કરવું અને માસ્ક પહેરવું ફરજિયાત છે. આ ઉપરાંત દર્શનાર્થીઓ માટે હેન્ડ સેનિટાઈઝરની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. દર્શનાર્થીઓને ખાસ સૂચના આપવામાં આવી છે કે, કોઈએ ભીડ કરવાની નથી. દર્શન કરી તરત નીકળી જવાનું રહેશે. લોકો નિયમોના પાલન સાથે સવારે 6થી રાત્રે 8 સુધી દર્શન કરી શકશે.