Site icon Revoi.in

ભાવનગર: તળાજાના મણાર ગામે ચેકડેમમાં ગરકાવ થઈ જતા ત્રણ યુવકોના મોત

Social Share

અમદાવાદઃ ભાવનગરના મણોર ગામમાં ચેકડેમમાં નહાવા પડેલી 3 યુવાનો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહ બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામે માતમ છવાયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર તળાજા તાલુકાના મણાર ગામના ત્રણ યુવકો રંગોથી રમ્યા બાદ ગામની નજીક આવેલા ચેકડેમમાં ન્હાવા પડ્યા હતા. પરંતુ, ચેકડેમના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ડૂબી જતાં ત્રણેય યુવકોના મોત નિપજ્યાં હતા. આ બનાવની જાણ થતાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને ફાયરની ટીમ પણ ત્યાં દોડી આવી હતી. આ ત્રણેયના યુવકોના મૃતદેહો બહાર કાઢીને તળાજા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોક છવાયો છે.