1. Home
  2. Tag "Bhavnagar"

ભાવનગરના પીરમબેટનો પર્યટક તરીકે સારોએવો વિકાસ થઈ શકે તેમ છે, પણ સરકારને રસ નથી

ભાવનગરઃ ગુજરાતમાં અન્ય જિલ્લાઓની તુલનાએ ભાવનગર જિલ્લો વિકાસમાં સૌથી પાછળ છે. જિલ્લામાં મોટા ઉદ્યોગો ન હોવાથી બેરોજગારીનું પ્રમાણ પણ વધુ છે. ત્યારે જિલ્લામાં કેટલાક સ્થળો એવા છે. કે, પર્યટન ક્ષેત્રે વિકાસ કરીને રોજગારીનું નિર્માણ કરી શકાય તેમ છે. ભાવનગરથી નજીક સમુદ્રમાં આવેલા પીરમબેટનો હજુ સુધી વિકાસ થઈ શક્યો નથી. ઘોઘાથી હોડીમાં બેસીને પીરમબેટ સુધી પહોંચી […]

ભાવનગરમાં કુંભારવાડા સહિત અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા, ટેન્કરોથી પહોંચાડાતું પાણી

ભાવનગરઃ ગોહિલવાડમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોચી રહ્યો છે. ત્યારે ભાવનગર શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે. હાલ શહેરના કુંભારવાડા સહિત કેટલાક વિસ્તારોમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પાણીના ટેન્કરો મોકલવામાં આવી રહ્યા છે. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણીની લાઈનમાં દુર્ગંધવાળું પાણી મળતુ હોવાની સ્થાનિક રહીશો દ્વારા મ્યુનિ.કોર્પોરેશનને રજૂઆત કરાતા અધિકારીઓ દ્વારા […]

અહંકાર અને દંભ તો રાવણ અને કંસનો પણ રહ્યો નથી, ભાજપ સામે શક્તિસિંહ ગોહિલે કર્યા પ્રહાર

ભાવનગરઃ લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયેલું છે. ભાવનગરની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. અને તેમને જીતાડવા માટે કોંગ્રેસ અને આપ’ દ્વારા સંયુક્ત પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અને શહેરમાં ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન બાદ યોજાયેલી જાહેર સભામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ […]

ભાવનગરમાં સિહોર-ઘાંઘળી રોડ પરની GIDCમાં બોયરલ ફાટતા બે શ્રમિકોનાં મોત, એક ગંભીર

ભાવનગરઃ જિલ્લાના  સિહોર-ઘાંઘળી રોડ પર આવેલી GIDCમાં આવેલી એક ફેકટરીના બોઇલરમાં બ્લાસ્ટ થતાં બે શ્રમિકોના થયાં હતા. જ્યારે એક શ્રમિક ગંભીર રીતે દાઝી જતાં હોસ્પિટલ ખસેડાયો છે. આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, ભાવનગર જિલ્લાના સિહોર નજીક ધાંધળી ગામ પાસે આવેલી વેગા એલાઇન્સ નામની ફેક્ટરીમાં ગત મોડી રાત્રે  બોઇલર ફાટતા ત્રણ પરપ્રાંતીય શ્રમિકો […]

ભાવનગર: તળાજાના મણાર ગામે ચેકડેમમાં ગરકાવ થઈ જતા ત્રણ યુવકોના મોત

અમદાવાદઃ ભાવનગરના મણોર ગામમાં ચેકડેમમાં નહાવા પડેલી 3 યુવાનો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ ત્રણેયના મૃતદેહ બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામે માતમ છવાયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર તળાજા તાલુકાના મણાર ગામના ત્રણ યુવકો રંગોથી રમ્યા બાદ ગામની નજીક આવેલા ચેકડેમમાં […]

ઉનાળુ વાવેતરમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે ભાવનગર, 44,100 હેક્ટરમાં વાવેતર

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતા જ જુદા જુદા પાકનું વાવેતર પણ શરૂ થાય છે. આ વર્ષે માર્ચ મહિનો પૂરો થવાની તૈયારીમાં છે. હવે ભાવનગર શહેર અને જિલ્લામાં ઉનાળાની ગરમીનો આરંભ થઈ ગયો છે ત્યારે ઉનાળુ ઋતુમાં જુદા જુદા પાકનું વાવેતર પણ શરૂ થઈ ગયું છે. જેમાં આ વખતે ભાવનગર જિલ્લો ડુંગળી અને મગફળીના વાવેતરમાં સમગ્ર […]

ભાવનગરના વરતેજ-બુધેલ રોડ પર લાખણકા પાસે પુલ પરથી ઘઉંનું થ્રેસર પડતા ત્રણના મોત

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં હાલ ઘઉંની સીઝન ચાલતી હોવાથી છેક પંજાબથી ઘઉંના થ્રેસર લઈને ઘઉં કાઢવા માટે અનેક લોકો આવ્યા છે. ત્યારે વરતેજ-બુધેલ રોડ પર લાખણકા ગામના ડેમ સામે જર્જરિત પુલ પરથી થ્રેસર પસાર થઈ રહ્યું હતું ત્યારે તેના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા થ્રેસર પુલ નીચે ખાબકીને પાણીમાં પડતા પંજાબના ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત […]

ભાવનગરના અલંગ વિસ્તારમાં સુચિત ટીપી સ્કીમ સામે 17 ગામોના ખેડુતોએ કર્યો વિરોધ,

ભાવનગરઃ અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા સૂચિત ટીપી સ્કીમનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ઘણાબધા ગામોની ફળદ્રુપ જમીનોનો સમાવેશ કરાતા ખેડુતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુચિત ટીપી સ્કીમના અસરગ્રસ્ત 17 ગામના ખેડૂતોએ રવિવારે તળાજાના મણાર ગામ પાસે એકઠા થઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તળાજા તાલુકાના મણાર ગામે બાપાસીતારામ મઢુલી ખાતે રવિવારે […]

ભાવનગરના તણસા ગામ પાસે પુરફાટ ઝડપે કાર પલટી જતાં બેનાં મોત, માતા-પૂત્રને ગંભીર ઈજા

ભાવનગરઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ભાવનગર-મહુવા હાઈવે પર તણસા ગામ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. વેગનઆર કાર પૂર ઝડપે જઈ રહી હતી. ત્યારે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં કાર પલટી ખાઈને રોડ સાઈડમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા.જયારે ગંભીર રીતે ઘવાયેલ માતા-પુત્રને સારવાર […]

Lok Sabha Elections: AAP-કૉંગ્રેસની વચ્ચે પાંચ રાજ્યોમાં બેઠક વહેંચણીની ઘોષણા, ભરૂચ-ભાવનગર બેઠક પર આપ લડશે ચૂંટણી

નવી દિલ્હી: કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં બંને પાર્ટીઓ વચ્ચે બેઠક વહેંચણીની ઘોષણા થઈ છે. બંને પક્ષોએ લોકસભા ચૂંટણીને લઈને સીટ શેયરિંગના મામલે સધાયેલી સંમતિ અનુસાર સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આનું એલાન કર્યું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના મુકુલ વાસનિક અને આમ આદમી પાર્ટીના સંદીપ પાઠક, આતિશી અને સૌરભ ભારદ્વાજ હાજર હતા. મુકુલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code