Site icon Revoi.in

પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં કરાય સીએએઃ મમતા બેનર્જી

Social Share

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નાગરિકતા (સંશોધન) અધિનિયમને લાગુ કરવાની સંભાવના મામલે કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જાણી જોઈને આ મુદ્દો ઉઠાવી રહ્યું છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિસિથ પ્રમાણિકએ જણાવ્યું હતું કે, સીએએને ધીરે-ધીરે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે પાકિસ્તાનમાંથી આવેલા લઘુમતીઓને ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય રહ્યો હતો. તેમને વર્તમાનમાં નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ ગુજરાતના બે દિલ્લામાં રહેલા નાગરિકતા આપવામાં આવી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, આ તમામ રાજનીતિ બંધ કરવી જોઈએ, ભાજપ એવુ કરી રહે છે કેમ કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે. અમે સીએએ લાગુ નહીં કરીએ. અમારા માટે તમામ ભારતીય નાગરિક છે. ચૂંટણી અને રાજનિતી મહત્વપૂર્ણ નથી પરંતુ લોકોના જીવન વધારે મહત્વના છે.

દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રમાણિકએ જણાવ્યું હતું કે, સીએ કાનૂન સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. સીએએ વંચિત અને પીડિત હિન્દુઓ અને અન્ય લોકો માટે છે. આ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ધીરે-ધીરે લાગુ કરવામાં આવશે.

પશ્ચિમ બંગાળના ભાજપના નેતા સુવેંદુ અધિકારીએ જણાવ્યું હતું કે, દેશમાં સીએએ લાગુ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભાજપના ધારાસભ્ય આશિમ સરકારે જણાવ્યું હતું કે, જો 1995ના અધિનિયમ હેઠળ નાગરિકા આપવામાં આવી છે તો 2019માં નાગરિકતા અધિનિયમની શું જરુર છે.