Site icon Revoi.in

હિમાચલપ્રદેશમાં સીએમ સુખવિંદર સિંહ સુખુના મંત્રીમંડળનું વિસ્તરણ –  વિક્રમાદિત્ય સહિતના 7 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા

Social Share
શિમલાઃ- હિમાચલ પ્રદેશમાં આજે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. રાજ્યના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે આજે રાજધાની શિમલાના રાજભવનમાં મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. કેબિનેટમાં 7 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડૉ. ધની રામ શાંડિલ, ચંદર કુમાર, હર્ષવર્ધન ચૌહાણ, જગત સિંહ નેગી, રોહિત ઠાકુર, અનિરુધ સિંહ અને વિક્રમાદિત્ય સિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.