દિલ્હીઃ કેનેડામાં ખાલિસ્તાની નેતાની હત્યા બાદ કેનેડિયન પીએમ ટુડ્ડો દ્રારા ભારત પર આરોપ લગાવાયા હતા જો કે ભારતે સખ્ત શબ્દોમાં આ વાત નકારી કાઢી હતી અને કેનેડા સામે સખ્તી દર્શાવી હતી જો કે આ બબાતે અમેરિકા સહીતના દેશઓ ભારતને સમર્થન આપી રહ્યા છે ત્યારે હવે પાડોશી દેશ શ્રીલંકાએ પણ કેનેડા સામે લાલ આંખ કરી છે.વિતેલા દિવસને સોમવારના રોજ શ્રીલંકાના વિદેશ પ્રધાન અલી સાબરીએ ન્યૂયોર્કમાં યુએન જનરલ એસેમ્બલીની બાજુમાં ભારત અને કેનેડા વચ્ચેના તાજેતરના રાજદ્વારી સંકટ પર વાત કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ખાલિસ્તાન આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા ભારત પર લગાવવામાં આવેલા આરોપોને લઈને શ્રીલંકાએ હવે નારાજગી વ્યક્ત કરી છે. ભારતના આ પાડોશી દેશે કેનેડાની સીધી ટીકા કરી છે અને તેને આતંકવાદીઓ માટે સુરક્ષિત સ્થાન ગણાવ્યું છે.
શ્રીલંકાના વિદેશમંત્રીએ કહ્યું કે ઉત્તર અમેરિકામાં સ્થિત આ દેશમાં આતંકવાદીઓને સુરક્ષિત આશ્રય મળ્યો છે અને વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ બાબતોમાંથી બહાર આવવા માટે આવા ઉશ્કેરણીજનક આરોપો લગાવવાનો માર્ગ અપનાવ્યો છે. સાબરીએ વધુમાં એમ પણ કહ્યું કે કેનેડિયન પીએમના ભડકાઉ અને પુરાવા વગરના નિવેદનોથી તેઓ આશ્ચર્યચકિત થયા નથી.
શ્રીલંકાના વિદેશ મંત્રીએ ટ્રુડોને સ્પષ્ટ સંદેશો આપતા કહ્યું કે તેમને કોઈપણ સાર્વભૌમ દેશની બાબતોમાં દખલ કરવાનો અધિકાર નથી. સાબરીએ કહ્યું, “મને લાગે છે કે કોઈએ બીજા દેશોની બાબતોમાં દલખ ન જ કરવી જોઈએ.
એટલું જ નહી વઘુમાં શ્રીલંકાના વિદેશ પ્રધાને કહ્યું, “કેનેડાના વડા પ્રધાને તેમના મંતવ્યોને સમર્થન આપવા માટે કોઈ પુરાવા આપ્યા વિના આવા ભડકાઉ આરોપ ભારત પર લગાવી રહ્યા હતા. અગાઉ તેમણે શ્રીલંકા માટે પણ આવું જ કર્યું હતું. તેમણે એક ડરામણું સફેદ જૂઠ બોલ્યું હતું કે શ્રીલંકામાં નરસંહાર થયો હતો. દરેક લોકોએ વાત જાણે છે કે આપણા દેશમાં કોઈ નરસંહાર થયો ન હતો.