Site icon Revoi.in

યુક્રેનના ઓડેસામાં કાર્ગો જહાજ પર હુમલો, 2 ભારતીયો ગુમ

Social Share

કિવ, 26 જુલાઈ 2026: યુક્રેનના ઓડેસા બંદર પર ‘એમવી એજીએન રાગ્નર’ (MV AGN Ragnar) નામના વ્યાપારી જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ જહાજ પર ચાર ભારતીય નાગરિકો સવાર હતા. આ હુમલા અંગે, યુક્રેનમાં ભારતીય દૂતાવાસે રવિવારે જણાવ્યું હતું કે તેઓ ઓડેસા બંદર પર બનેલી આ ઘટના બાદ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.

ભારતીય દૂતાવાસે ‘X’ પર માહિતી આપી છે કે ચાર ભારતીય ક્રૂ સભ્યોમાંથી બે સુરક્ષિત હોવાની પુષ્ટિ થઈ છે. બાકીના બે સભ્યો અંગેની માહિતીની રાહ જોવાઈ રહી છે.

દૂતાવાસે જણાવ્યું છે કે શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. અમે યુક્રેનિયન સત્તાવાળાઓના સતત સંપર્કમાં છીએ. હુમલા બાદ, દૂતાવાસે યુક્રેનમાં રહેતા ભારતીયો માટે હેલ્પલાઇન પણ જાહેર કરી છે.

ઈમેલ: cons.kyiv@mea.gov.in, cons1.kyiv@mea.gov.in

કટોકટીનો નંબર: +380933559958 (અજી કુમાર, સેકન્ડ સેક્રેટરી)

ઓડેસા એ કાળો સમુદ્ર (Black Sea) પર આવેલું યુક્રેનનું સૌથી મોટું બંદર છે. ફેબ્રુઆરી ૨૦૨૨માં રશિયાના હુમલા બાદથી આ શહેર સતત મિસાઇલ અને ડ્રોન હુમલાઓનું નિશાન બન્યું છે. આનાથી દરિયાઈ વેપાર પણ ખોરવાયો છે.

ભારત સરકારે તેના નાગરિકોને ચાલી રહેલા સંઘર્ષને કારણે યુક્રેનની મુસાફરી ન કરવાની સલાહ અગાઉથી જ આપી દીધી છે. દૂતાવાસે જણાવ્યું છે કે ત્યાં રહેતા ભારતીયોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

Exit mobile version