Site icon Revoi.in

કેન્દ્ર સરકાર ટ્વિટરના વિવાદથી નારાજ – સોશિયલ મીડિયાને નિયંત્રણમાં લાવવા નવા નિયમોનો ડ્રાફ્ટ તૈયાર

Social Share

દિલ્હી – ટ્વિટર સાથેના વિવાદથી નારાજ ભારત હવે સોશિયલ મીડિયા કંપનીઓને નિયંત્રણમાં રાખવા નવા નિયમો લાવવાની તૈયારી કરી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાયેલા નવા નિયમોના ડ્રાફ્ટ પ્રમાણે, તેની મદદ વડે તમામ સોશ્યલ મીડિયા કંપનીઓને વિવાદિત તથ્યોને વહેલી તકે દૂર કરવા અને તપાસમાં સહયોગ આપવા દબાણ કરવામાં આવશે.

વિશ્વભરમાં શક્તિશાળી ટેક કંપનીઓને નિયંત્રિત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.વિતેલા અઠવાડિયે જ ફેસબુક અને ઓસ્ટ્રેલિયા સરકાર સામસામે જોવા મળ્યા હતા. ફેસબુકને ઓસ્ટ્રેલિયાના તેના પ્લેટફોર્મ પર સમાચારો પર પ્રતિબંધ લગાવવા બદલ  સમગ્ર વિશ્વમાં ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

ભારતમાં પણ, ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડુતોના આંદોલન વચ્ચે , કેટલાક ટ્વિટને અશાંતિનું કારણ ગણાવવામાં આવ્યા હતા અને સરકારે ટ્વિટરને તેને દૂર કરવા અને આવા ટ્વિટર હેન્ડલ્સ પર બેન મૂકવાનો નિર્દેશ આપ્યો હતો. ટ્વિટર દ્વારા સરકારના આદેશનું પાલન કરવા માટે વિવિધ નિયમોનો હવાલો આપીને તેને નકારવામાં આવ્યા હતા, નવી દિલ્હીએ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ન થાય તે માટે અને સોશ્યલ મીડિયાની સામગ્રીને નિયંત્રણમાં રાખવા માટે સરકારે ‘ઇન્ટરમીડિયેટ ગાઇડલાઇન્સ અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ’ તૈયાર કર્યો છે. આ નિયમોથી ફેસબુક-ટ્વિટર જેવી સોશ્યલ મીડિયા કંપનીઓ સાથે પ્રાઈમ જેવા વેબ મનોરંજન પ્લેટફોર્મ પર નિયંત્રણ લાવવાનો માર્ગ ખુલ્યો છે.

આ નિયમોના ડ્રાફ્ટમાં વેબ કંપનીઓને ભારતના બહુરાષ્ટ્રવાદી અને બહુ-વંશીય સમાજને ધ્યાનમાં લેતા, કોઈ વંશીય અથવા ધાર્મિક જૂથના વિચારો સાથે જોડાયેલ કોઈપણ પ્રવૃત્તિઓ, માન્યતાઓ અથવા પ્રવૃત્તિઓ પર સતર્કતા અને વવેક સાથે વિચાર કરવો પડશે. નવા નિયમો વય-સંબંધિત રેટિંગ્સ અને વેબ શ્રેણીની સામગ્રી સાથે સલાહ પ્રદાન કરવાનું ફરજિયાત બનાવે છે.

આ નિયમોના ડ્રાફ્ટને લઈને હાલ ફેસબુક, ટ્વિટર અને કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે  કોઈ અધિકૃત ટિપ્પણી કરી નથી. આ સાથે જ આ નિયમો ક્યારે લાગુ કરવામાં આવશે તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે, ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા મુજબ આનાથી ભારતમાં મોટી ટેક કંપનીઓની રોકાણ યોજનાઓના કરાર મોટો ફટકો પડશે.

સાહિન-