Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકી અને સેના વચ્ચે અથડામણ – એક આતંકી ઠાર 

Social Share

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં અવાર નવારે આતંકીઓ પોતાની નાપાક હરકતોને અંજામ આપવાના પ્રતય્નમાં લાગેલા હોય છે જો કે સેના ખડેપગે રહીને આતંકીઓને માત આપતી જોવા મળે છે, છેલ્લા ઘણા સમયથી અહીના કેટલાક વિસ્તારોમાં આતંકવાદી સક્રિયો થયા છે ત્યારે આજે સવારથી સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ શરુ થઈ છે.

પ્રાપ્ત જાણકારી મુજબ જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો છે. આ એન્કાઉન્ટર કુલગામના બ્રીહાર્ડ કાઠપોરા વિસ્તારમાં ચાલી રહ્યું છે. 

આ સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ 2 થી 3 આતંકીઓ અહીં સંતાયેલા છે. આ પહેલા 24 જુલાઈના રોજ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના રામપોરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી.

Exit mobile version