Site icon Revoi.in

જમ્મુ કાશ્મીરના પુલવામાં આતંકી અને સેના વચ્ચે અથડામણ – લશ્કરે-એ-તૈયબાના 3 આતંકીઓ ઠાર 

Social Share

શ્રીનગરઃ- વિતેલા દિવસને રવિવારના રોજ દેશના પીએમ નરેન્દ્રમોદી જમ્મુ કાશ્મીરની મુલાકાતે હતા ,જો કે તેમની મુલાકાત પહેલા થોડે દૂર વિસ્ફોટની ઘટના બની હતી ત્યારે વિતેલી રાત્રે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોના જવાનો આતંકવાદીને માત આપી હતી રવિવારે રાત્રે પુલવામા જિલ્લામાં થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ 3 આતંકીઓને ઠાર કર્યા હતા.

ઘટનાને મામલે પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના પહુ વિસ્તારમાં આતંકવાદીઓ સંતાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી ત્યાર બાદ આ વિલસ્તારમાં સુરક્ષા દળોએ ઘેરાબંધી કરી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ દરમિયાન આતંકીઓએ જવાનો પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યાર બાદ જવાબીકાર્યવાહીમાં સેનાના જવાનો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ અથડામણમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા.

મળતી માબહિતી મુજબ “આરિફ હજર ઉર્ફે રેહાન, જે લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર બાસિતનો નાયબ કહેવાય છે, તે પુલવામા એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. આ સાથે જ તે પોલીસ ઈન્સ્પેક્ટર પરવેઝ, એસઆઈ અરશીદ અને મસ્જિદની સામે મોબાઈલ શોપવાળાની હત્યા કરવાની ઘટનામાં પણ સંડોવાયેલ હતો

આ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા લોકોમાં 17 વર્ષીય નીતિશ શકીલ વાની પણ સામેલ છે. તે 16 એપ્રિલના રોજ શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં પોતાના ઘરેથી અચાનક ગુમ થઈ ગયો હતો. તેના પરિવારજનોએ સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરીને તેને પરત ફરવાની અપીલ કરી હતી પરંતુ તે આતંકી સંગઠનમાં જોડાઈ ગયો હતો. તે જ સમયે, આ એન્કાઉન્ટરમાં માર્યા  ગયેલા ત્રીજા આતંકવાદીની ઓળખ પાકિસ્તાનના રહેવાસી હક્કાની તરીકે થઈ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં જમ્મુ-કાશ્મીરમાં આ ત્રીજી એન્કાઉન્ટરની ઘટના બની હતી.પીએમ મોદીની વિતેલા દિવસની મુલાકાતને લઈને સેના સતત સતર્ક રહીને કડક સુરક્ષા બંદોબસ્તમાં લાગી હતી.