Site icon Revoi.in

એન્ડ ટીવી ના શો ‘ઓર ભાઈ ક્યા ચલ રહા હે’ માં કોમેડિ મેન રાજુ શ્રીવાસ્તવની થશે શાનદાર એન્ટ્રી, હાસ્યની મજા થશે ડબલ

Social Share

 

મુંબઈઃ કોમેડિના બેતાજ બાદશાહ ગણાતા હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવનું કોમેડી ટાઈમિંગ જબરદસ્ત છે,હવે ટૂંક સમયમાં તેઓ એન્ડ ટીવીના દર્શકોને પેટ પકડીને હસાવવા માટે આવી રહ્યા છે,રાજુ શ્રીવાસ્તવ શો ‘ઓર  ભાઈ ક્યા ચાલ રહા હૈ?’ હું ટૂંક સમયમાંએન્ટ્રી કરનાર છે,. રસપ્રદ વાત એ છે કે તે એક જાણીતા હાસ્ય કલાકાર હશે એટલે કે આ શોમાં તેની પોતાની જ ભૂમિકામાં જોવા મળશે.

રાજુ શ્રીવાસ્તવની એન્ટ્રી & ટીવીના કોમેડી શો ‘ઓર ભાઈ ક્યા ચલ રહા હૈ’માં થવા જઈ રહી છે. જેમાં, તે બિટ્ટુ કપૂર (અનુ અવસ્થી) ના દૂરના રિશ્તેગદારનો રોલ કરશે.

શોની કહાનિ એમ છે કે, બિટ્ટુ કપૂર અને પપ્પુ પાંડે (સંદીપ યાદવ) લગ્ન કરવાના છે અને લગ્ન એટલે ગ્રેન્ડ સેલિબ્રેશની સાથે ખાણી -પીણી અને ડાન્સ, સોંગ. આ એક ખુશીનો પ્રસંગ છે અને રમેશ પ્રસાદ મિશ્રા (અંબરીશ બોબી) અને ઝફર અલી મિર્ઝા (પવન સિંહ) તૈયારીઓમાં વ્યસ્ત છે. પરંતુ સમસ્યા એ છે કે મિશ્રા અને મિર્ઝાનો ચોલી – દામનનો સાથ રહ્યો છે, તો શું આ વખતે બીટ્ટુ અને પપ્પુના લગ્નમાં રાજુના આવવાથી મુશ્કેલીનો માર્ગ બદલાશે?

આ શોમાં રાજુની એન્ટ્રી પર, રાજુ શ્રીવાસ્તવે કહ્યું, “ઓર ભાઈ….ખૂબ  ટૂંકા ગાળા મારા પસંદનો શો બની ગયો છે, આ શઓ માં મિશ્રા અને મિર્ઝાની ટસલ જોવાની મને ખૂબ મજા આવે છે. તેથી જ્યારે મને આ શોમાં કેમિયો કરવાનું કહેવામાં આવ્યું ત્યારે મેં તરત જ હા પાડી દીધી. અભિનય અને હાસ્ય કલાકાર બનવાની વચ્ચે ખૂબ જ સરસ રેખા છે. અભિનેતાઓ અને હાસ્ય કલાકારો બંનેએ પરફોર્મ કરવું છે, પરંતુ લાઇવ પરફોર્મ કરવું કેમેરાની સામે શૂટિંગ અને સંવાદોનું રિહર્સલ કરવાથી તદ્દન અલગ  હોય છે. આ બંને કાર્યો પડકારરૂપ તેમજ સંતોષકારક છે.