Site icon Revoi.in

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના લોકસભા દીઠ નિરિક્ષકો નિમાયાં

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને  હવે આઠ મહિના બાકી રહ્યાં છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યની સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ પાર્ટી 2022ની વિધાનસભા ચૂંટણી જીતવા માટે તૈયારીઓ કરી રહી છે. આ તૈયારીના ભાગ રૂપે કોંગ્રેસે રાજ્યમાં પોતાના નિરીક્ષકોની નિમણૂક કરી છે. કોંગ્રેસે એક લોકસભા બેઠક દીઠ બે નિરીક્ષકોની નિમણૂક કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત કોંગ્રેસે વિવિધ નેતાને નિરીક્ષક બનાવ્યા છે. નિરીક્ષકોનું પહેલું કામ સભ્યની નોંધણી અને બુથ મેનેજમેન્ટનું રહેશે. ત્યારબાદ ચૂંટણીની અલગ-અલગ રણનીતિ બનાવશે. જિલ્લામાં કોંગ્રેસના નેતાઓમાં જુથબંધી દુર કરીને ભાજપના આક્રમક લડાઈ આપવાની પણ જવાબદારી સોંપવામાં આવી છે. લોકસભાની દીઠ જે નેતાઓને નિરીક્ષક બનાવ્યા છે. જેમાં  કચ્છ બેઠક પર ખુર્શીદ સૈયદ અને હીરા જીતવા, બનાસકાંઠા બેઠક પર અશ્વિન કોટવાલ અને ચંદાંજી ઠાકોર, ગાંધીનગર બેઠકના નિરીક્ષક તરીકે સી જે ચાવડા અને ચંદ્રિકાબેન બારૈયા, સુરેન્દ્રનગર બેઠક પર લાખાભાઈ ભરવાડ અને નૌશાદ સોલંકી, રાજકોટ બેઠક પર દીપક બાબરીયા અને હાર્દિક પટેલને નિરીક્ષક બનાવ્યા છે.

આ ઉપરાંત જામનગર બેઠક પર નિરીક્ષક તરીકે વિક્રમ માડમ અને લલિત કગથરા, ભાવનગર બેઠક પર શક્તિસિંહ ગોહિલ અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ખેડા બેઠક પર અમિત ચાવડા અને માલસી રાઠોડ, પોરબંદર બેઠક પર અર્જુન મોઢવાડીયા અને ભીખુભાઈ વરોતરિયા,નવસારી બેઠક પર ગૌરવ પંડ્યા અને ગોવિંદ પટેલ, પાટણના નિરીક્ષક તરીકે રાજુભાઈ પરમાર અને ગજેન્દ્રસિંહ રહેવર, મહેસાણા બેઠક પર નરેશ રાવલ અને કુલદીપ શર્મા, સાબરકાંઠા બેઠક પર મધુસૂદન મિસ્ત્રી અને અલ્કાબેન ક્ષસ્ત્રીય, અમદાવાદ ઇસ્ટ બેઠક પર જીગ્નેશ મેવાણી અને બિમલ શાહ, અમદાવાદ વેસ્ટ બેઠક પર હિંમતસિંહ પટેલ અને ડો. જીતુ પટેલ, જૂનાગઢ બેઠક પર પૂંજા વંશ અને હર્ષદ રિબડીયા, અમરેલી બેઠક પર પરેશ ધાનાણી, વીરજી ઠુમ્મર અને ઋત્વિક મકવાણાને નિરીક્ષક બનાવાયા છે.

જ્યારેઆણંદની બેઠક પર ભરતસિંહ સોલંકી અને નટવરસિંહ મહીડા,પંચમહાલ બેઠક પર પ્રભાબેન તાવિયાડ અને રાજેન્દ્ર પટેલ, દાહોદ બેઠક પર બાબુ કટારા અને વજેસિંહ પણદા, વડોદરા બેઠક પર સિદ્ધાર્થ પટેલ અને માનસિંહ ડોડીયા, છોટાઉદેપુર બેઠક પર નારાયણ રાઠવા અને રણજીત રાઠવા, ભરૂચ બેઠકની કાદિર પીરઝાદા અને કાશ્મીરાબેન મુંશી,બારડોલી બેઠક પર ડો. તુષાર ચૌધરી અને બાબુભાઈ રાયકા, તેમજ સુરત બેઠક પર અમીબેન યાજ્ઞિક દર્શન નાયક, અને વલસાડ બેઠક પર કિશન પટેલ અને યુનુસ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.