1. Home
  2. Tag "Gujarat Legislative Assembly"

વર્ષ 2024-25નું બજેટસત્ર ગુજરાતથી વિકસિત ભારત સંકલ્પ પૂર્તિ તરફનું પ્રથમ કદમ છેઃ ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે 15મી વિધાનસભાનું ચોથું સત્ર પૂર્ણ થતા મીડિયાને સંબોધતા કહ્યું હતું કે ,વર્ષ 2024-25નું બજેટ સત્ર “વિકસિત ગુજરાત થી વિકસિત ભારત” સંકલ્પ પૂર્તિ તરફ પ્રથમ કદમ છે. આ બજેટ સત્રમાં મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રામમંદિર નિર્માણ અને રામચંદ્ર ભગવાનની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભે વડાપ્રધાનનો આભાર માનતો આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં […]

ભારતનું ભવિષ્ય ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના કલ્યાણથી વિકસિત થશેઃ સહકારમંત્રી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે સહકાર વિભાગની અંદાજપત્રીય માંગણીઓની ચર્ચાનો જવાબ આપતા સહકાર રાજ્ય મંત્રી  જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરીને ભારતને વર્ષ 2047  સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવામાં ગુજરાતનું સહકાર ક્ષેત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મંત્રી  વિશ્વકર્માએ ગૃહમાં જણાવ્યું હતું કે,ભારતનું ભવિષ્ય ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ એમ […]

ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓ ભૌતિક સગવડો સાથે સ્માર્ટ અને ડિજિટલ બની : શિક્ષણ મંત્રી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગની અંદાજપત્રિય માંગણીઓ પરની ચર્ચામાં સહભાગી થતા શિક્ષણ મંત્રી  કુબેર ડિંડોરે કહ્યુ હતુ કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીના વિઝનને સાકાર કરતી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ–2020ના અસરકારક અમલીકરણ થકી અમૃતકાળમાં ભારતના જ્ઞાન આધારિત સમાજ, વિશ્વગુરૂ બનવાના તથા ફાઇવ ટ્રીલીયન ડોલર ઇકોનોમીના ધ્યેયને સાકાર કરવા માટે ગુજરાત સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. […]

ગુજરાતના આર્થિક અને સામાજિક વિકાસને લીધે રોજગારીની વિપુલ તકોનું નિર્માણ થયુઃ બળવંતસિંહ

ગાંધીનગરઃ શ્રમ અને રોજગાર મંત્રી  બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાતના આર્થિક અને સામાજિક વિકાસને કારણે રાજ્યમાં રોજગારીની વિપુલ તકોનું નિર્માણ થયું છે. રાજ્યના યુવાધનને રોજગારી આપવામાં ગુજરાતે દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી રોજગાર કચેરી દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે. મંત્રીએ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની અંદાજપત્રીય […]

નર્મદા નહેરની 91.76 ટકા કામગીરી પૂર્ણ, બાકીની કામગીરી વર્ષ 2025 સુધીમાં પૂર્ણ કરાશેઃ પટેલ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતમાં શરૂ થયેલી નર્મદા યોજનાના પરિણામે કચ્છ જેવા દુર્ગમ વિસ્તારોમાં પણ નર્મદાના નીર પહોંચ્યા છે. મંત્રી  પટેલે ઉમેર્યું હતું કે, રાજ્યમાં નર્મદા યોજના હેઠળ કુલ 69,49,41 કિ.મી લંબાઈની નહેરો બનાવવાનું આયોજન છે. જે પૈકી 63,773  કિ.મી […]

ગુજરાતમાં સિંચાઇ અને પીવાના પાણી માટે અનેકવિધ પુરવઠા યોજનાઓ કાર્યરત : બાવળિયા

ગાંધીનગરઃ પાણી પુરવઠા મંત્રી  કુંવરજીભાઇ બાવળિયાએ વિધાનસભા ગૃહમાં પાણી પુરવઠા વિભાગની માંગણીઓ રજૂ કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં  ગુજરાતના શહેરી તથા ગ્રામીણ વિસ્તારના છેવાડાના નાગરિકો માટે પીવાનું શુદ્ધ પાણી તેમજ ખેડૂતોને સિંચાઇનું પાણી પહોંચે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ  2024-25ના અંદાજપત્રમાં પાણી પુરવઠા પ્રભાગ હેઠળ રૂ. 6,242 કરોડની માતબર રકમની જોગવાઈ […]

વડાપ્રધાનની ગુજરાતની મુલાકાતને લીધે 22મીથી બે દિવસ વિધાનસભા સત્રની બેઠક નહીં મળે

ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી 22 ફેબ્રુઆરીથી બે દિવસીય પ્રવાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. અને વડાપ્રધાન રાજ્યના અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. વડાપ્રધાન સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો પણ જોડાશે. જેને પગલે ગુજરાત વિધાનસભા બજેટસત્રની બેઠકો તા.22મી અને 23મી ફેબ્રુઆરીના રદ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીની આ મુલાકાતને પગલે વિધાનસભા ગૃહની કામકાજ […]

E-ગવર્નન્સના ઉપયોગથી વહિવટમાં પારદર્શિતા અને સરળીકરણ લાવી શક્યા છીએઃ ઋષિકેશ પટેલ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં મંત્રી  ઋષિકેશ પટેલે સામાન્ય વહીવટ વિભાગની અંદાજપત્રીય માંગણીની ચર્ચામાં સહભાગી થતાં જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસ મોડલના પાયામાં સુશાસન રહેલું છે. વહીવટમાં પારદર્શિતા, ઝડપ અને સરળીકરણ લાવવા સામાન્ય વહીવટ વિભાગ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કર્મયોગીઓને તાલીમબધ્ધ કરી લોકાભિમુખ વહીવટ માટે તૈયાર કરવા અને પ્રોએક્ટિવ સરકારની વિભાવનાને સાકાર કરવી એ જ આ […]

ગુજરાતમાં લાયન પ્રોજેક્ટને અમલી બનાવવા કેન્દ્ર સરકારે બે કરોડની સહાય આપીઃ વનમંત્રી

ગાંધીનગરઃ  ગુજરાત વિધાનસભામાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી  મુકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ઘરેણા સમાન એશિયાઈક સિંહોના સંરક્ષણ માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે. પ્રોજેક્ટ લાયન દ્વારા જૈવિક સંરક્ષણ માટે પણ સઘન પ્રયાસો કરાશે.  આ માટે કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી 2023ની સ્થિતિએ રૂ. 200 લાખની સહાય મળી છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્યમાં સિંહ સંરક્ષણ […]

ગુજરાત સરકારનું દેવું વધીને 3.81 લાખ કરોડને વટાવી જતાં માથાદીઠ દેવું 65,597 થશેઃ કોંગ્રેસ

ગાંધીનગરઃ વર્ષ 2022-23માં રાજ્યનું રૂ. 3,38,476 કરોડ દેવું હતું તે વધીને વર્ષ 2023-24માં રૂ. 3,81,380 કરોડ થયું છે એટલે કે દેવામાં રૂ. 42,904 ૪૨ કરોડનો વધારો થયો છે. વર્ષ 2024-25માં રાજ્યના દેવાનો અંદાજ રૂ. 4,26,380 કરોડ છે એટલે કે તેમાં છેલ્લા વર્ષની સરખામણીએ રૂ. 45,000 કરોડનો વધારો થશે. આમ, વર્ષ  2022-23ના સરખામણીએ વર્ષ 2024-25માં રૂ. 87,904 કરોડનો વધારો થયો. વર્ષ 2024-25માં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code