Site icon Revoi.in

ચૂંટણી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખરગેનો દાવો ,પાંચેય રાજ્યોમાં બનાવીશું અમારી સરકાર

Social Share

દિલ્હીઃ- આગામી દિવસોમાં દેશના પાંચ રાજ્યોમાં વિઘાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે આ ચૂંટણીને લઈને દરેક પક્ષ પોતપોતાની રીતે એડી ચૌંટીનું જોર લગાવી રહ્યું છે અનેક રાજ્યોમાં ઉમેદવાર યાદી પણ જાહેર થી ચૂકી છએ ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુને પાંચેય રાજ્યોમાં પોતાની સરકાર બનવાનો દાવો કર્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખરગેએ આજરોજ બુધવારે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી શાસિત મધ્યપ્રદેશમાં સત્તા વિરોધી લહેર હોવાથી આગામી મહિને યોજાનારી ચૂંટણીમાં તમામ પાંચ રાજ્યોમાં જૂની પાર્ટી સરકાર બનાવશે.

આ વાત તેમણે ત્યારે કરી હતી કે જ્યારે હતા વઘુમાં કલબુર્ગીમાં ANI સાથે વાત કરતા ખડગેએ કહ્યું કે છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની આગેવાની હેઠળની સરકારો તેમનું કામ યોગ્ય રીતે કરી રહી છે અને ત્યાંના લોકોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો નથી.

 ખરગે એ કહ્યું કે “પાંચ રાજ્યોમાં ચૂંટણી માટે કોંગ્રેસની તૈયારીઓ સારી રીતે ચાલી રહી છે. અમને વિશ્વાસ છે કે અમે તમામ રાજ્યોમાં જીતીશું. મુખ્યત્વે મોંઘવારી અને બેરોજગારીને કારણે ભાજપ માટે સત્તા વિરોધી લહેર છે,”

વઘુમાં તેમણે કહ્યું કે મધ્યપ્રદેશમાં લોકો શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વવાળી ભાજપ સરકારની વિરુદ્ધ થઈ રહ્યા છે. કેન્દ્રમાં ભાજપ પર આરોપ લગાવતા કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે પાર્ટીએ તેના એકપણ ચૂંટણી વચનો પૂરા કર્યા નથી. તેમણે કહ્યું, “જે પણ વચનો આપવામાં આવ્યા હતા, ભાજપે એક પણ વચન પૂરું કર્યું નથી. પછી તે બેરોજગારી હોય, ખેડૂતોની આવક બમણી કરવી હોય કે રોકાણ હોય.” ખડગે, જે કર્ણાટકના તેમના ગૃહ જિલ્લા કલાબુર્ગીની મુલાકાતે છે, તેમણે આરોપ લગાવ્યો છે. આરોપ છે કે કેન્દ્ર સરકાર કર્ણાટકની અવગણના કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે આવતા મહિના નવેમ્બરમાં તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ – તમામ પાંચ રાજ્યોમાં એક કે બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. મિઝોરમમાં 7 નવેમ્બરે, છત્તીસગઢમાં 7 નવેમ્બર અને 17 નવેમ્બરે, મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે, રાજસ્થાનમાં 25 નવેમ્બરે અને તેલંગાણામાં 30 નવેમ્બરે ચૂંટણી યોજાશે. તમામ રાજ્યોમાં મતગણતરી 3 ડિસેમ્બરે થશે.