દિવસઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં વધારો થતા ટેસ્ટીંગ વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. 24 કલાક દરમિયાન 9.15 લાખ વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. અત્યાર સુધી સમગ્ર દેશમાં કોરોનાના લગભગ 62.46 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. બીજી તરફ દેશમાં કોરોના રિકવરી રેટમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. હાલ દેશમાં રિકવરી રેટ 98 ટકાથી વધારે હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સહિત દેશના વિવિધ રાજ્ય સરકારે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કર્યું છે. દરમિયાન ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ફરીથી કોરોના ટેસ્ટમાં વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું છે. દરમિયાન અમદાવાદમાં કોરોના ટેસ્ટીંગ માટે વિવિધ વિસ્તારમાં મનપાએ ડોમ ઉભા કર્યાં છે. બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા કોરોના ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધી 3.39 કરોડથી વધારે લોકો કોરોનાને મ્હાત આપીને સાજા થયાં છે. હાલ સમગ્ર દેશમાં 1.34 લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.