Site icon Revoi.in

રેલવેનો કોરોનાનું લાગ્યુ ગ્રહણઃ આવકમાં 36993 કરોડનો ઘટાડો

Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને પગલે આપવામાં આવેલા લોકડાઉનને પગલે રેલવે વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. અનલોકમાં ધીરે-ધીરે રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી પહેલાની જેમ રેલ વ્યવહાર શરૂ થયો નથી. દરમિયાન કોરોના મહામારીને પગલે રેલવેની આવક રૂ. 36993 કરોડ ઘટી હોવાનું જાણવા મળે છે.

રેલ્વેપ્રધાન પિયુષ ગોયલ જણાવ્યું હતું કે, કોરોના મહામારી લોકડાઉન તથા રેગ્યુલર ટ્રેનો શરૂ થઈ ન શકવાના કારણોસર આવકમાં ગાબડુ પડયું છે. ડીસેમ્બર 2020 સુધીમાં ટ્રાફીક આવકમાં 36993.82 કરોડનો પ્રવાસી આવક જ ઘટી હતી. કોરોનાને નિયંત્રણમાં રાખવા માટે લોકોની બીનજરૂરી હેરફેર ટાળવા માટે રેલ્વેએ હજુ રેગ્યુલર ટ્રેનો ચાલુ કરી નથી. રાજયો તથા સંબંધીત વર્ગોના સૂચનો-ભલામણોના આધારે ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા રેલવેના પરિવારની પ્રક્રિયા તબક્કાવાર ચાલુ કરાઇ છે. તા.1 માર્ચથી અગાઉ જેવો જ રેલ વ્યવહાર પૂર્વવત થઇ જશે તેવી ગણતરી છે. હાલ જે સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવે છે તેમાં પૂરતા મુસાફરો હજુ ઉપલબ્ધ નથી. તા.1થી મુંબઇની પરાની ટ્રેનો શરૂ થઇ ગઇ છે અને તેમાં પણ તબક્કાવાર ટ્રાફીક વધશે જેના કારણે આગામી 6 મહિનામાં રેલવે તેની ગુમાવેલી આવક સરભર કરી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને લોકડાઉનમાં રેલ વ્યવહાર બંધ કરાયો હતો. જો કે, શ્રમજીવીને તેમના પહોંચાડવા માટે ખાસ ટ્રેનો દોડાવવામાં આવી હતી. આ ટ્રેનો મારફતે લાખો શ્રમજીવીઓને તેમના વતન પહોંચાડવામાં આવ્યાં હતા. આ ઉપરાંત જીવન જરૂરી ચીજવસ્તુઓના પરિવહન માટે ગુડસ ટ્રેન દોડાવવામાં આવી હતી.