Site icon Revoi.in

કોરોના વર્તાતો કહેર-છેલ્લા 24 કલાકમાં 7,830 નવા કેસ સામે આવ્યા, સક્રિય કેસોનો આંકડો 40 હજારને પાર

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાએ ફરી એક વખત હાહાકાર મચાવ્યો છે, છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી 5 હજારને પાર કેસ નોંધાઈ રહ્યા છે જો કે છેલ્લા 24 કલાકના સમયગાળા દરમિયાન કોરોનાના નવા કેસોએ 7 હજારનો આંકડો વટાવ્યો છે જેને લઈને ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે.

જો દેશભરમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસોની વાત કરીએ તો આ સમયગાળઆ દરમિયાન કુલ 8 હજાર 830 નવા કેસો નોંઘાયા છે જે વિતેલા દિવસની સરખામણીમાં ઘણા વધુ છે.ગઈકાલની સરખામણીમાં નવા કેસમાં 38 ટકાનો વધારો નોંધાયો છે.

આ સાથે જ રોજેરોજ નોંધાતા વધુ કેસને લઈને હવે સ્ક્રિય કેસો પણ વધ્યા છએ દેશમાં હાલ 40 હજારથઈ વધુ સક્રિય કેસો જોવા મળી રહ્યા છે.દેશમાં 40 હજાર 215 દર્દીઓ સંક્રમિત જોવા મળે છે .

વિતેલા દિવસને  મંગળવારે 2 લાખ 14 હજાર 242 લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં 3.65 એટલે કે 7,830 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 11 લોકોના મોત પણ થયા હોવાનો એહવાલ છે.

જો કોરોનાથી સ્વસ્થ થનારા લોકોની વાત કરીએ તો  છેલ્લા 24 કલાકમાં 4 હજાર 692 લોકો કોરોનાને માત આપી છે અને સાજા થયા છે. તે જ સમયે, કોરોનાથી  સાજા થનારા એટલે રે રિકવરી રેટની વાત કરીએ તો, તે 98.72 ટકા નોંધાયો છે. દૈનિક હકારાત્મકતા દર 3.65 ટકા જોવા મળે છે છે અને સાપ્તાહિક હકારાત્મકતા દર 3.83 ટકા નોંધાયો  છે.

જો એવા રાજ્યોની વાત કરવામાં આવે કે જ્યા સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છએ તો તેમાં  દિલ્હી, હિમાચલ પ્રદેશ અને પંજાબ ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, હરિયાણા અને ગુજરાતનો સમાવેશ થાય છે,કોરોનાને લઈને કેટલાક રાજ્યોએ માર્ગદર્શિકા પણ જારી કરી છે.