- કોરોનાનેું નવું લક્ષણ જોવા મળ્યું
- WHOએ આપી ચેતવણી
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં મોટી રાહત મળે રહી છે આવી સ્થિતિમાં કોરોનાને લઈને બીજા એક સમાચાર પણ મળી રહ્યા છએ, પ્રાપ્ત જાણકારી પ્રમાણે હવે કોરોનાનું નવું લક્ષણ સામે આવ્યું છે.કોરોના મહામારી હાલ પણ યથાવત છે તે સંપૂર્ણ ગી નથી.
કોરોનાને લઈને તમામ આરોગ્ય એજન્સીઓ તેની ગંભીરતાને લઈને સંશોધન કરી રહી છે. કોરોનાના ઘણા લક્ષણોની યાદી આપવામાં આવી છે. પરંતુ એક લક્ષણ છે જેની વધુ ચર્ચા કરવામાં આવી નથી. હવે WHO એ આ લક્ષણને ગંભીર ગણાવતા ચેતવણી જારી કરી છે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે એનએચએસની નવીનતમ અપડેટ કરેલી સૂચિમાંથી કોરોના વાયરસના લક્ષણ ગાયબ છે, પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થા એ તેના વિશે ચેતવણી જાહેર કરી છે. શરદી, સતત ઉધરસ, ગંધ અથવા સ્વાદ ગુમાવવો એ કોરોનાના મુખ્ય લક્ષણો તરીકે સૂચિબદ્ધ થયા છે. આ પછી શ્વાસ લેવામાં તકલીફ, માંદગીનો અનુભવ થાક લાગવો, દુખાવો થવો, ગળામાં દુખાવો, માથાનો દુખાવો, નાક વહેવું, ભૂખ ન લાગવી અને ઝાડા થયા આ લક્ષણોનો પણ સમાવેશ થાય છે
આ સાથે જ હવે એક લક્ષણ કે જે સત્તાવાર રીતે સૂચિબદ્ધ નથી તે ભ્રમ છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને WHO બંનેએ ભ્રમની મૂંઝવણને કોરોનાવાયરસના લક્ષણ તરીકે સૂચિબદ્ધ કરી છે. WHO ની સૂચિ હેઠળ, મૂંઝવણને ‘ગંભીર લક્ષણ’ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી છે અને તેનાથી પીડિત કોઈપણને તાત્કાલિક તબીબી સહાય મેળવવા માટે સૂચના આપવામાં આવી છે.
આ ભ્રમને ‘બ્રેઈન ફોગ’ પણ કહેવામાં આવે છે, જે લાંબા સમય સુધી કોવિડનું લક્ષણ છે. બ્રેન ફોગ એટલે કે જ્યારે વ્યક્તિને તેની યાદશક્તિ અથવા એકાગ્રતામાં સમસ્યા હોય અને લાંબા સમય સુધી કોવિડના લક્ષણ તરીકે ઓળખવામાં આવે છે.