- લક્ષમીપતિ બાલાજી કોવિડ પોઝિટિવ
- સુપર કિંગ્સ અને અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ રદ
મુંબઈઃ- દેશમાં ચાલી રહેલી આપીએલ પર હવે સંકટના વાદળો છવાઈ રહ્યા છે, બુધવારના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચ રદ કરવામાં આવી છે. કારણ કે લક્ષમીપતિ બાલાજી કોવિડ પોઝિટિવ હોવાની માહિતી મળતાની સાથે જ આ મેચ રદ કરવામાં આવી છે.
બોર્ડની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ કાર્યવાહી મુજબ જો કોઈ પણ વ્યક્તિ કોરોના સંક્રમિતનાસંપર્કમાં આવે છે તો તેને છ દિવસ માટે ક્વોરોન્ટાઈન કરવામાં આવે છે, આ સમય દરમિયાન તેના આરટી પીસીઆરના ત્રણ રિપોર્ટ નોગોટિવ હોવા અનિવાર્ય છે.
આ સમગ્ર બાબતે ભારતીય ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ જણાવ્યું છે કે બુધવારે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે સીએસકે અને રોયલ્સ વચ્ચે રમાનાર મેચ રદ કરવામાં આવી હતી. આ મેચ હવે એસ.ઓ.પી. નિયમો હેઠળ પછીની તારીખે લેવામાં આવશે.કારણ કે બાલાજી તમામ ખેલાડીઓના સંપર્કમાં આવ્યા હતા અને તેથી હવે તમામ ખેલાડીઓએ આઈસોલેટ રહેવું પડશે અને તેઓનું દરરોજ નિરિક્ષણ પણ કરવામાં આવશે
જ્યારે સીએસકેના સીઇઓ કાશી વિશ્વનાથનનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે સીએસકે બીસીસીઆઈને બાલાજીના આરટી પીસીઆર પરિણામ વિશે જાણ કરી છે. તેમણે કહ્યું કે અમે જાણ કરી છે કે બાલાજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, એસ.ઓ.પી. મુજબ અમારા ખેલાડીઓને આઈસોલેટ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે આઈપીએલની આ બીજી વખતની મેચ રદ કરવામાં આવી છે, જેનું શેડ્યૂલ ફરી સુનિશ્ચિત કરવામાં આવશે. આ પહેલા સોમવારના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની તેની મેચ કોલકાતા નાઈટ રાઇડર્સના બે ખેલાડીઓ વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર કોરોના પોઝિટિવ આવ્યા હતા, જેને લઈને અમગાવાદ ખાતે રમાનારી મેચ રદ કરાઈ હતી.