- પાક પીએમની મોદી સાથે ડિબેટ કરવાની ઈચ્છા
- કોંગ્રેસ નેતાઓએ ઈમરાન ખાનને આડે હાથ લીધા
દિલ્હી – પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન સતત કોઈને કોઈ વાતે ચર્ચામાં રહે છે અને તેમની અવગણના થાય છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટીવી પર ખુલ્લી ચર્ચાના પ્રસ્તાવ કરતા ફરી તેઓ ચર્ચામાં આવ્યા છે.
જો કે આ બાબતે કોંગ્રેસના ત્રણ નેતાઓએ પાક પીએમ ઈમરાન ખાનને જડબાતોડ જવાબ આપ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ શશિ થરૂર, મનીષ તિવારી અને અભિષેક સિંઘવીએ આ મમાલે કડક વલણ અપનાવીને પાક ઈએમને આડે હાથ લીધા હતા
રશિયાની યાત્રાના એક દિવસ પહેલાં તેમણે દાવો કર્યો કે, તેનાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે મતભેદોને ઉકેલવામાં મદદ મળશે. ભારત અંગે ઈમરાન ખાને રશિયન ન્યૂઝ ચેનલ રશિયન ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે.
કોંગ્રેસના નેતા સિંઘવીએ તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભાજપ અને કેન્દ્ર સરકાર સાથે વૈચારિક મતભેદ હોવા છતાં, તેમને પાક પીએમના પ્રસ્તાવને સ્વીકારવા યોગ્ય લાગતું નથી.
કોંગ્રેસ નેતા થરૂરે ઈમરાનના પ્રસ્તાવનો તેમની વિચિત્ર શૈલીમાં જવાબ આપ્યો. તેમણે કહ્યું કે વારંવાર યુદ્ધ કરવાને બદલે ચર્ચા કરવાનો વિચાર સારો છે, પરંતુ ટેલિવિઝન પર ચર્ચાથી કોઈ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો.
ઉલ્લેખનીય છે કે રશિયન ટેલિવિઝન નેટવર્ક સાથેની ચર્ચામાં પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને કહ્યું હતું કે ભારત સાથે અમારો એકમાત્ર મુદ્દો કાશ્મીર છે, અમે તેમને કહ્યું છે કે ટેબલ પર બેસીને તેનો ઉકેલ લાવીએ. ઇમરાને એમ પણ કહ્યું કે તેઓ જાણે છે કે ભારત અન્ય દેશો કરતાં સારું છે. તેણે પાકિસ્તાન માટે ક્રિકેટ રમવા બદલ ભારતના લોકો સાથેના પોતાના સંબંધોને પણ યાદ કર્યા. જો કે પાકિસ્તાનના પીએમની આ વાતને હવે લોકો મજાક બનાવી રહ્યા છે