Site icon Revoi.in

આગામી થોડા વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં CRPFની જરૂર નહીં પડે: અમિત શાહ

Excelsior Rakesh

Social Share

શ્રીનગર : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે છે ત્યારે તેમના દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું કે આગામી કેટલાક વર્ષોમાં જમ્મુ-કાશ્મીર અને પૂર્વોત્તરમાં સુરક્ષા દળોની જરૂર રહેશે નહીં.

આ પહેલીવાર છે જ્યારે રાજધાની દિલ્હીથી CRPFના રાઇઝિંગ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.જમ્મુમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની 83મી રાઈઝિંગ ડે પરેડમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે શ્રીનગરના મૌલાના આઝાદ સ્ટેડિયમમાં સૈનિકોને સંબોધિત કર્યા અને તેમની પ્રશંસા કરી હતી.

પરેડ બાદ કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હું CRPF જવાનો અને તેમના પરિવારોને મારી શુભેચ્છા પાઠવું છું. સાથે જ જેમણે પોતાની ફરજ નિભાવતી વખતે પોતાનો જીવ આપ્યો તેમને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તેમણે કહ્યું કે કાશ્મીર, નક્સલ વિસ્તારો અને પૂર્વોત્તરમાં સીઆરપીએફ જે નિર્ધાર સાથે કામ કરી રહ્યું છે, તે દેખાઈ રહ્યું છે કે આગામી થોડા વર્ષોમાં આપણને ત્રણેય વિસ્તારોમાં સીઆરપીએફની જરૂર નહીં પડે. અમિત શાહે કહ્યું કે જો આવું થાય તો તમામ શ્રેય CRPFને જાય છે.