Site icon Revoi.in

રૂપાલાના વિવાદ સામે ડેમેજ કન્ટ્રોલ, આજે ક્ષત્રિય સમાજના 92 આગેવાનોની ભાજપ સાથે બેઠક યોજાશે

Social Share

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રિય મંત્રી પરશોત્તમ રૂપાલાએ એક જાહેર સભામાં ક્ષત્રિયો વિશે કરેલા વિવાદિત ઉચ્ચારણોને લીધે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. રૂપાલાએ બેવાર માફી માગી હોવા છતાંયે વિવાદ શમતો નથી. તેથી હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે ડેમેજ કન્ટ્રોલની કવાયત હાથ ધરીને ક્ષત્રિય સમાજના આગેવાનોને મનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગરમાં  સી.આર. પાટીલના બંગલે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા સહિત ભાજપના ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠકમાં પાટિલે કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતિ છે. ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને રૂપાલાને માફ કરી દે અને ક્ષત્રિયો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા રહ્યા છે અને પાર્ટી સાથે જોડાઈ એવી વિનંતિ કરું છું.

ભાજપના ક્ષત્રિય આગેવાનોની બેઠક બાદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતુ. કે, છેલ્લા કેટલાક દિવસથી રાજકોટની સીટ પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પરની એક ટિપ્પણીને કારણે સમાજમાં રોષ ફેલાયો છે. ત્રણ વખત માફી માગી છતાં રોષ ઓછો થતો નથી. ક્ષત્રિય સમાજ મોટું મન રાખી રૂપાલાને માફ કરે. ભૂલ માટે વારંવાર માફી માગી છે, તેને ક્ષત્રિય સમાજ માફ કરી દે. મંગળવારે ભાજપના  આગેવાનો ભૂપેન્દ્રસિંહ, કેસરીસિંહ, મહેન્દ્રસિંહ, આઇકે જાડેજા, બલવંતસિંહની આગેવાનીમાં મુખ્યમંત્રી અને સંગઠન મહામંત્રીની ઉપસ્થિતિમાં  બેઠક યોજી હતી. હવે તેમણે માફી માગી છે તો ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ.

પાટીલે ઉમેર્યું હતું કે,  ક્ષત્રિય સમાજની 92 આગેવાનોની સંકલન સમિતિ છે. આ સંકલન સમિતિની બુધવારે 3 વાગ્યે બેઠક મળશે. જેમાં તેમને સાંભળવામાં આવશે અને સમજાવશે. ધીમે ધીમે વાતાવરણ સરળ બને તેના માટે પ્રયત્ન કરાશે, મંગળવારે અમારી બેઠક અઢી ત્રણ કલાક ચાલી હતી અને કોને મળવું તથા કેવી રીતે મળવું તેની જવાબદારીઓ નક્કી થઈ છે. જલદીથી નિવેડો આવે તેના માટે પુરતા પ્રયાસો કરી રહ્યા છે. ક્ષત્રિય સમાજને મારી પણ હાથ જોડીને વિનંતિ છે. ક્ષત્રિય સમાજ હવે પોતાનો રોષ શાંત કરીને માફ કરી દે અને ક્ષત્રિયો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા રહ્યા છે અને પાર્ટી સાથે જોડાઈ એવી વિનંતિ કરું છું. જ્યારે ઉમેદવાર બદલવા કોઈ વિચારણા કરી છે? એવા સવાલના જવાબમાં પાટીલે કહ્યું કે, ના એવી કોઈ વિચારણા કરી નથી