- રાજનાથ સિંહ સંરક્ષણ ઉપકરણોની આયાત ન કરાવી મંજૂરી આપી
- આત્મ નિર્ભર ભારતને વેગ આપવા લેવાયો નિર્ણય
દિલ્હીઃ- પેરધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મ નિર્ભર ભારત હેઠળ ત્રણેય સેનાઓના સુરક્ષાના સાધનો ભારતમાં જ બને તેવા પ્રતય્નો હાયત ઘર્યા હતા અને તે સફળ પણ થઈ રહ્યા છે, સેનામાં અનેક સ્વદેશી સાધનો સામેલ થી રહ્યા છે ત્યારે હવે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ એ સંર્કષણ સાધનો અને પ્રણાલીઓની આયાત બંધ કરવાની મંજુરી આપી છે, આ નિર્ણય એટલા માટે લેવાયો છે કે જેથી આમ્ત નિર્ભર ભારતને પ્રોત્સાહન મળવાની સાથે સાથે તેમાં વેગ પણ આવે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે 780 ઉપકરણો અને સબસિસ્ટમની હાલની યાદીને મંજૂરી આપી છે, જે છ વર્ષની સમયમર્યાદામાં આયાત પર પ્રતિબંધ મૂક્યા પછી જ સ્થાનિક ઉદ્યોગમાંથી નિર્માણ કરાશે ત્રીજી ‘સકારાત્મક સ્વદેશીકરણ’ સૂચિનો હેતુ સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમો દ્વારા આયાત ઘટાડવાનો છે.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2023 થી ડિસેમ્બર 2028 સુધીના સમયગાળામાં માલની આયાત પ્રતિબંધ માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરી છે.રાજનાથ સિંહે સમય મર્યાદા સાથે 780 લાઇન રિપ્લેસમેન્ટ યુનિટની ત્રીજી યાદીને મંજૂરી આપી છે, ત્યારબાદ તે માત્ર સ્થાનિક ઉદ્યોગ પાસેથી જ ખરીદાશે.
ઉલ્લેખનીય છે કે સંરક્ષણ મંત્રાલયે આગામી પાંચ વર્ષમાં સંરક્ષણ ઉત્પાદનમાં USD 25 બિલિયન એટલે કે અંદાજે રૂ. 1.75 લાખ કરોડની આવકતનું લક્ષ્ય નક્કી કર્યું છે, હવે આ ઉપકરણો આત્મ નિર્ભર ભારત હેઠળ પ્રાપ્ત કરાવાશે, જેથી ભારતના લોકોને રોજગારીની નવી તકો સાપડશે.