- દિલ્હી કેબિનેટનો મોટો નિર્ણય
- ઘર-ઘર સુધી પહોંચાડાશે રાશન
- કેન્દ્રને મોકલાશે દરખાસ્ત
દિલ્લી: દિલ્હી કેબિનેટે એક મહત્વનો નિર્ણય કર્યો છે.જેમાં ઘર-ઘર સુધી રાશન પહોંચાડવાની યોજના અમલી બનશે. આ પહેલા કેન્દ્ર સરકારે “મુખ્યમંત્રી ઘર ઘર રાશન યોજના” યોજનાના નામના કારણે નામંજૂર કરી હતી. ત્યારબાદ દિલ્હી સરકારે નામ હટાવ્યું છે અને કહ્યું છે કે, આ દરખાસ્તને મંજૂરી આપીને કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.
કેન્દ્ર સરકારે દિલ્હી સરકારને કહ્યું હતું કે,’મુખ્યમંત્રી ઘર ઘર રાશન યોજના’ લાગુ ન કરવા કહ્યું હતું. રાજ્યને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ફાળવેલ અનાજનો ઉપયોગ કરવાની મંજૂરી નથી.
આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, કેન્દ્રને મળેલા પત્રમાં જણાવાયું છે કે, ઘર સુધી રાશન આપવાની યોજનાને ‘મુખ્યમંત્રી ઘર ઘર રાશન યોજના’ નામ આપી શકાતું નથી. સંભવત: તેમને મુખ્યમંત્રી શબ્દ પર વાંધો છે. અમે ક્રેડિટ લેવા માટે આ કરી રહ્યા નથી,તેથી હવે આ યોજનાનું કોઈ નામ નહીં હોય.
સોમવારે કેબિનેટની બેઠક મળશે અને તેના દરખાસ્તો કેન્દ્રને મોકલવામાં આવશે.મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 25 માર્ચે સીમાપુરી વિસ્તારમાં 100 ઘરો સુધી રાશનનું વિતરણ કરીને આ યોજનાની શરૂઆત કરવાના હતા.
-દેવાંશી