Site icon Revoi.in

કેનેડાના સ્ટુડન્ડ વિઝા 70 ટકા રદ્દ કરાતા હોય વિદ્યાર્થીઓમાં નિરાશા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધતી જાય છે. એટલે હવે મોટાભાગના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જઈને સેટલ થતા હોય છે. ત્યારે અમેરિકામાં  જવાનું અઘરું બની જતા હવે ગુજરાત તથા ભારતના અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ કેનેડાની  વાટ પકડી રહ્યા છે. જોકે, કેનેડા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓના વીઝા રિજેક્ટ કરવાનું પ્રમાણ વધાર્યું છે. આમ થવાથી કેનેડામાં સેટલ થઈને કંઈક કરવાનો પ્લાન બનાવીને વીઝા માટે અપ્લાય કરનારા ભારતીયોએને  નિરાશ થવાનો વારો આવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતી વિદ્યાર્થીઓમાં કેનેડા, અમેરિકા અને યુરોપ જવાનો ક્રેઝ વધારે જોવા મળી રહ્યો છે. તેવામાં કેનેડા દ્વારા ભારતીય વીઝા રિજેક્ટ વધુ કરાતા હોવાથી વિદ્યાર્થીઓ નિરાશ બની ગયા છે. એડમિશન, ફી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી દીધા બાદ વિદ્યાર્થીઓના વીઝા રદ્દ થતા તેમની તકલીફમાં વધારો થયો છે.

કેનેડાની વાટ પકડવા માટે તૈયાર બેઠેલા વિદ્યાર્થીઓના એન્ડ ટાઈમ પર વીઝા રદ્દ થતા તેમની મુશ્કેલી વધી ગઈ છે. ફી, એડમિશન, લોનની પ્રક્રિયા પૂર્ણ કરી દીધા પછી છેલ્લી ઘડીએ વીઝા કેન્સલ થઈ જતા ગુજરાત સહિત ભારતભરના વિદ્યાર્થીઓ આશ્ચર્યમાં મૂકાયા છે. પાછલા કેટલાક વર્ષોમાં મોટા પ્રમાણમાં ભારતીય અને ખાસ કરીને ગુજરાતના વિદ્યાર્થીઓ દ્વારા કેનેડામાં ભણવા જવા માટે અપ્લાય કરવામાં આવતું હતું અને મોટાભાગના લોકોના વીઝા મંજૂર થઈ જતા હતા. પરંતુ હવે કેનેડાની સરકાર દ્વારા ભારત અને ચીનના વિદ્યાર્થીઓ પર બ્રેક લગાવવામાં આવી રહી છે. આ સાથે તેમના માટે અલગ-અલગ યુનિવર્સિટીમાં રિઝર્વ રખાયેલી બેઠકો પણ ઘટાડી દેવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓના વીઝા રદ્દ થઈ રહ્યા છે.
એક રિપોર્ટ્સ મુજબ અગાઉ કેનેડા જવા માટે 100 જેટલી ફાઈલ મૂકી હોય તેમાંથી માંડ 25 રિજેક્ટ થતી હતી પરંતુ હવે 70% ફાઈલો પર રિજેક્શન આવી રહ્યું છે. આવામાં કેનેડાની કૉલેજમાં ઓનલાઈન ભણવાનું શરુ કરી દેનારા વિદ્યાર્થીઓને ભારે ફટકો પડી રહ્યો છે. મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓના વીઝા રદ્દ થઈ રહ્યા છે ત્યારે વીઝા કન્સલ્ટન્ટ અને એડવાઈઝર નવરા બેસી રહ્યા છે.