Site icon Revoi.in

આ ગામમાં કાળા જાદૂ થાય છે ? મહાભારત કાળ સમયે જોડાયેલો છે ઇતિહાસ

Social Share

આસામના ગુવાહાટીથી 40 કિમી દૂર બ્રહ્મપુત્રા નદીના કિનારે આવેલું માયોંગ ગામ કાળા જાદુનો ગઢ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા છે કે સમગ્ર વિશ્વમાં કાળા જાદુની શરૂઆત માયોંગ ગામથી જ થઈ હતી. આ ગામમાં ચીન, આફ્રિકા, તિબેટ અને ભારતના અન્ય ગામોમાંથી લોકો તંત્ર વિદ્યા શીખવા આવે છે.

માયોંગ ગામનો ઈતિહાસ મહાભારત કાળથી સંબંધિત છે. માયોંગ શબ્દ સંસ્કૃત શબ્દ માયા પરથી આવ્યો છે. મહાભારત કાળમાં પણ માયોંગ ગામનો ઉલ્લેખ છે. ભીમનો માયાવી પુત્ર ઘટોત્કચ મેયોંગનો રાજા હતો. આવી સ્થિતિમાં આ ગામ ઘટોત્કચનું ગણાય છે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર, માયોંગમાં એક સ્થાન છે, જે જૂના માયોંગ તરીકે ઓળખાય છે. અહીં તાંત્રિક સાધના કરવાથી તંત્ર વિદ્યામાં સફળતા મળે છે. એવું કહેવાય છે કે તંત્ર-મંત્રની શક્તિઓને કારણે આ કુંડ હંમેશા પાણીથી ભરેલો રહે છે.

Exit mobile version