Site icon Revoi.in

પાલનપુર પાસે ટ્રક અને બસ વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો – ડ્રાઈવર સહીત ત્રણના મોત, 30 લોકો ઈજાગ્રસ્ત

Social Share

અમદાવાદ- રાજ્યભરમાં રોજેરોજ હાઈવે પર એકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છએ ત્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર નજીક બસ અને ટ્રક વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસના ડ્રાઈવર અને બે મુસાફરોના આમ કુલ 3 લોકોના મોત થયા હતા, જ્યારે 30 અન્ય લોકો ઘાયલ થયા હતા.

પ્રાપ્ત વિગત પ્રમાણે અને પોલીસે જણાવેલ માહિતી પ્રમાણે અકસ્માત આજરોજ રવિવારે સવારે 3 વાગ્યાની આસપાસ થયો હતો. અકસ્માતનો ભોગ બનનાર ખાનગી બસમાં રાજસ્થાનના રામસીનથી અમદાવાદ જઈ રહ્યા હતા. 

આ ઘટનાને પગલે પાલનપુર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમદાવાદથી લગભગ 150 કિમી દૂર કાણોદર ગામ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રક ચાલક પોતાનું વાહન રોડની બાજુમાં પાર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે બસ તેની પાછળથી અથડાઈ હતી. બે મુસાફરો અને બસના ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેમણે જણાવ્યું કે મૃતકની ઉંમર 35 થી 40 વર્ષની વચ્ચે છે.