1. Home
  2. Tag "palanpur"

પાલનપુરમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, 2700 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો

પાલનપુરઃ ગુજરાતમાં ખાદ્ય ચિજવસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. જેમાં શુદ્ધ ઘીના નામે નકલી ઘીનું વેચાણ વધતું જાય છે. ત્યારે બાતમીને આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની ટીમે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતેની એક પેઢીમાં દરોડો પાડીને રૂ. 17 લાખની કિંમતનું 2749 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રને બાતમી […]

પાલનપુરમાં ખોખરા ગુજરાત બોર્ડર-વિજયનગર-અંતરસુબા-રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58ના માથાસુર રોડ વિભાગને અપગ્રેડ કરાશે

અમદાવાદઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ગુજરાતના પાલનપુર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58ના ખોખરા ગુજરાત બોર્ડર-વિજયનગર-અંતરસુબા-માથાસુર રોડ સેક્શનને પીએસ (પેવ્ડ શોલ્ડર) સાથે 2-લેનમાં અપગ્રેડ કરવા માટે રૂ. 699.19 કરોડ ખર્ચાયા છે જે હાઇબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ મંજૂર કરવામાં આવી છે. 📢 गुजरात 🛣 ➡ गुजरात के पालनपुर जिले […]

પાલનપુરના RTO ઈન્સ્પેક્ટર અને વચેટિયો રૂપિયા 11700ની લાંચ લેતા રંગેહાથ પકડાયા

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર આરટીઓ અધિકારી અને તેના વચેટિયાને લાંચ રૂશ્વત વિરોધી શાખાએ લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. આરટીઓ ઇન્સ્પેક્ટર અંકિત પંચાલ તેના વચેટિયા ભરત પટેલ સાથે રહી 11,700 રૂપિયાની ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ અમદાવાદ એસીબીનો સંપર્ક કર્યો હતો, એસીબીએ છટકું ગોઠવી આરટીઓ ઇન્સ્પેક્ટર અને તેના વચેટીયાને પાલનપુર શહેરના ગઠામણ દરવાજા […]

પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે એરોમા સર્કલ તોડી પડાશે

પાલનપુરઃ બનાસકાંઠાના જિલ્લા મથક એવા પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. જેમાં શહેરના એરોમા સર્કલ પર તો ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બની હતી. કારણ કે એરોમા સર્કલનો રાઉન્ડ મોટો બનાવાયો હોવાથી વાહનચાલકોને ખૂબ મુશ્કેલી પડતી હતી. સર્કલ મોટું હોવાને લીધે વારેવાર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળતી હતી. આથી સર્કલ તોડીને ટ્રાફિક સિગ્નલ મુકવાની […]

પાલનપુરના મડાણા ડાંગીયા નજીક પુરફાટ ઝડપે આવેલી કારે ત્રણ લોકોને લીધા અડફેટે, બેનાં મોત

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માત પાલનપુરના મડાણા ડાંગીયા પાસે સર્જાયો હતો. પુરફાટ ઝડપે આવેલી કારે રોડ સાઈડ પર ઊભેલા ત્રણ લોકોને અડફેટે લેતા ત્રણને ગંભીર ઈજા થઈ હતી. આ બનાવને લીધી આજુબાજુના લોકો દાડી આવ્યા હતા. અને પોલીસ અને 108ને જાણ કરી હતી. અને 108 એમ્બ્યુલન્સ દ્વારા ત્રણેય […]

પાલનપુરના નવા માર્કેટ યાર્ડમાં સાતથી વધુ દુકાનોમાં લાગી આગ, લાખોનું અનાજ બળીને ખાક

પાલનપુરઃ શહેરના નવા માર્કેટયાર્ડમાં એક દુકાનમાં એકાએક આગ લાગ્યા બાદ જોતજોતામાં આગની ચપેટમાં સાતથી વધુ દુકાનો આવી ગઇ હતી. જેમાં ત્રણ દુકાનો સાવ બળીને ખાક થઇ ગઇ હતી. ભીષણ આગને લીધે લાખોનું અનાજ બળીને ખાક થઇ ગયું છે. આગના બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને સતત પાણીનો મારો ચલાવી […]

પાલનપુરમાં RTO બ્રિજ તૂટવાના બનાવને મહિનાઓ વિતી ગયા, છતાં હજુ બ્રિજનું કામ શરૂ કરાયું નથી

પાલનપુરઃ શહેરમાં ગયા ઓક્ટોબર મહિનામાં આરટીઓ નજીક નવનિર્મિત બ્રિજના 6 જોઇન્ટ ગર્ડર એક જમીન દોસ્ત થયા હતા. આ ઘટનાને પગલે સરકારે બ્રિજનું નિર્માણ કરતી એજન્સીને બ્લેકલિસ્ટ કરી હતી. બ્રિજના ગર્ડર તૂટી પડવાના બનાવને સાડા ત્રણ મહિના કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં સરકાર દ્વારા નવી એજન્સીની પ્રક્રિયા હાથ ધરાઈ નથી અને બ્રિજનું કામ પુનઃ […]

પાલનપુરના ચિત્રાસણી નજીક એસટી બસ અને ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત, 7 પ્રવાસીઓ ઘવાયાં

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. હાલ અંબાજીમાં પરિક્રમાને લીધે  અંબાજી જતા માર્ગો પર ટ્રાફિક વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે પાલનપુરથી ભાજી તરફ જતા ચિત્રાસણી ગામ નજીક રોડ પર એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નહતી પરંતુ એસટી બસમાં મુસાફરી કરતા સાત જેટલા પ્રવાસીઓને નાની-મોટી […]

પાલનપુરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, કલેકટરનો આદેશ પણ નગરપાલિકા માનતી નથી

પાલનપુરઃ ગુજરાતમાં મહાનગરોમાં રખડતા ઢોરનો ત્રાસ મહદઅંશે દુર થઈ ગયો છે. પણ નાના નગરોમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. પાલનપુર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હજુ દુર થયો નથી. જિલ્લા કલેકટરે અગાઉ નગરપાલિકાના ચીફ ઓફિસરને રખડતા ઢોરની સમસ્યા દુર કરવા આદેશ આપ્યો હતો. પરંતુ હજુ પણ શહેરના જાહેર રસ્તાઓ પર રખડતા ઢોર અડિંગો […]

પાલનપુરના ગઢ વિસ્તારની કેનાલમાં પાણી ન છોડાતા ખેડુતો સિંચાઈ કચેરીને તાળાંબંધી કરશે

પાલનપુરઃ બનાસકાંઠામાં પાલનપુરના ગઢ વિસ્તારમાં કેનાલમાં પાણી છોડવામાં ના આવતા રવિ પાક સુકાઈ રહ્યો છે. આથી  200 જેટલાં ખેડૂતો પાલનપુરમાં આવેલી સિંચાઈ વિભાગની કચેરીએ પહોંચ્યા હતા. અને જો ચાર દિવસમાં પાણી નહીં છોડાય તો કચેરીએ ધરણાં કરી તાળાબંધીની ચિમકી ઉચ્ચારી હતી. ખેડૂતોને ચાર દિવસ સુધી કેનાલમાં પાણી નહિ મળે તો ગુજરાત હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code