1. Home
  2. Tag "palanpur"

પાલનપુર શહેરમાં વરસાદને લીધે રોડ-રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાં પડતા વાહનચાલકો પરેશાન

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા પાલનપુર શહેરમાં રોડ-રસ્તાઓ બિસ્માર હાલતમાં હતા,એમાં વરસાદને લીધે રોડ પર ઠેર ઠેર ખાડાંઓ પડી જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શહેરના ગુરુનાનક ચોક, અમીર રોડ, એરોમા સર્કલ, જુનાગંજ, તેમજ અમદાવાદ હાઈવેના સર્વિસ રોડ પર ખાડાઓ પડી ગયા છે. પાલનપુર શહેરના રોડ-રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાં પડી ગયા […]

પાલનપુરમાં કાલે સોમવારથી બે દિવસ ધરોઈ પાઈપલાઈન મરામતને લીધે પાણી પુરવઠો બંધ રહેશે

પાલનપુરઃ શહેરમાં કાલે સોમવારથી બે દિવસ પાણી પુવઠા વિતરણમાં વિક્ષેપ સર્જાશે. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા 22 જુલાઈ અને 23 જુલાઈએ ધરોઈ પાઇપલાઇન અને પમ્પિંગ મશીનરીની મરામત કામગીરી હાથ ધરાશે જેને લઇ બે દિવસ પાણી કાપ માટે પાલનપુર નગરપાલિકાને જાણ કરવામાં આવી છે. પાલનપુર પાણી પુરવઠા વિભાગે નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખીને […]

બનાસકાંઠામાં ઘટાટોપ વાદળો ગોરંભાયા બાદ પાલનપુર, અમીરગઢમાં વરસાદના ઝાપટાં પડ્યાં

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. વાતાવરણમાં બફોરો પણ અનુભવાય રહ્યો છે. છતાંયે મેઘરાજા મન મુકીને વરસતા નથી.જોકે  આજે દિવસ દરમિયાન પાલનપુરમાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. ખેડુતો સારા વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, અમીરગઢ પંથકમાં આજે સોમવારે વરસાદી ઝાપટાં પડ્યા હતા. ભારે ઉકળાટ બાદ ઝરમર […]

પાલનપુરમાં જગન્નાથજીની રથયાત્રામાં ભાવિકોને 16000 રોપાઓનું વિતરણ કરાયું

પાલનપુરઃ બનાસકાંઠામાં આજે અષાઢી બીજના દિને પાલનપુર, ડીસા અને થરાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળતા મોટી સંખ્યામાં ભાવિકો રથયાત્રામાં જોડાયા હતા. પાલનપુરના મોટા રામજી મંદિરથી પરંપરાગત રૂટો પર રથયાત્રા નિજ મંદિરથી નીકળતા મોટી સંખ્યામાં ભાવિ ભક્તો રથયાત્રામાં જોડાયા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. છોડમાં રણછોડ છે. તેને સાર્થક કરતા રથયાત્રામાં […]

પાલનપુરમાં જર્જરિત બનેલા સરકારી ક્વાટર્સ રાતોરાત ખાલી કરાવાતા 32 પરિવારો મુશ્કેલીમાં મુકાયા

પાલનપુરઃ શહેરમાં વરસાદી સીઝનમાં કોઈ દૂર્ઘટના ન બને તે માટે જર્જરિત બનેલા સરકારી ક્વાટર્સ ખાલી કરાવવાનો જિલ્લા કલેક્ટરે નિર્ણય લીધો હતો. અને પ્રાંત અધિકારીની સુચના બાદ શહેરના સરકારી વસાહતના બે બ્લોક જોખમી હોવાથી 32 પરિવારોને મકાનો ખાલી કરી દીધા છે.  કેટલાક કર્મચારીઓને તાત્કાલિક ભાડેથી મકાન ન મળતા પાલનપુરમાં રહેતા તેમના સગા વહાલાઓના ઘરે શિફ્ટ થવું […]

પાલનપુરમાં 17 વિસ્તારો કોલેરાગ્રસ્ત, કેસની સંખ્યા 236 અને મૃત્યુઆંક 4 પર પહોંચ્યો,

પાલનપુરઃ શહેરમાં કોલેરાનો રાગચાળો વકરતા શહેરના 17 જેટલા વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે. નગરપાલિકા અને આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ઘેર ઘેર ફરીને સર્વે હાથ ધર્યો છે. તેમજ ખાણી-પીણીની દુકાનો, લારીઓ બંધ કરાવી દીધી છે. અત્યાર સુધીમાં ઝાડા-ઊલટી, કોલેરાના 236 કેસ નોંધાયા છે. તેમજ વધુ એક મહિલાનું મોત નિપજતા મૃત્યુઆંક 4 પર  પહોંચ્યો છે. પાલનપુર શહેરના કોટ […]

પાલનપુરમાં 17 વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર કરાયા બાદ વધુ 9 કેસ નોંધાયા, ખાણી-પીણીની દુકાનો બંધ

પાલનપુરઃ શહેરના કેટલાક વિસ્તારોમાં કોલેરાનો રાગચાળો ફાટી નિકળતા 17 જેટલા વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર કરાયા હતા. આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ઘેર-ઘેર ફરીને સર્વે હાથ ધર્યો હતો. દરમિયાન ગત રવિવારે ઝાડા-ઊલટીના વધુ 9 કેસ નોંધાયા હતા. નગરપાલિકાએ અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાણી-પીણીની દુકાનો, લારીઓ 10 દિવસ બંધ રાખવાની સુચના આપી છે. હાલ કોલેરાના બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમની […]

પાલનપુરમાં અનોખી પુસ્તક બેન્ક, જુના પુસ્તકો એકત્ર કરીને જરૂરિયાતમંદોને અપાય છે

પાલનપુરઃ રાજ્યમાં 13મી જુનથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થશે. ત્યારે પાલનપુરમાં શાળાઓ શરૂ થાય તે પહેલા જ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પુસ્તકો મળી રહે તે માટે અનોખી પુસ્તક બેન્ક શરૂ કરવામાં આવી છે. શહેરના ગાયત્રી બુક સ્ટોલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પુસ્તક બેંક શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ કરી ચૂકેલા ઘરે પડેલા પુસ્તકો […]

પાલનપુરમાં ઝાડા-ઊલટીના કેસમાં વધારો થતાં શહેરના 17 વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર કરાયા

પાલનપુરઃ શહેરમાં કોલેરાનો રોગચાળો ફાટી નિકળતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.  શહેરના કોટ વિસ્તારમાં ઝાડા-ઊલટી તથા પેટના દુખાવાની ફરિયાદો છેલ્લા કેટલાક સમયથી ઉઠી છે. કોલેરાનો ભોગ બનેલા 150 જેટલા દર્દીઓ દ્વારા સરકારી હોસ્પિટલમાં સારવાર લેવામાં આવી છે. તેમજ 23 જેટલા લોકોને વધુ અસર જણાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રોગચાળો વધવાના કારણે પાલનપુરના 17 જેટલા […]

પાલનપુરના ખોડલા ગામ નજીક પ્રાગણમાં રમી રહેલા ત્રણ બાળકોને કારે અડફેટે લીધા, બેના મોત,

પાલનપુરઃ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ખોડલા ગામ નજીક આવેલી ફેકટરીમાં કામ કરતાં શ્રમિકોના બાળકો ઘર આંગણે રમી રહ્યા હતા. ત્યારે પૂર ઝડપે આવેલી કારના ચાલકે સ્ટિયરિંગનો કાબુ ગુમાવતા કારે ત્રણ બાળકોને અડફેટે લીધા હતા. જેમાં એક બાળકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બીજા બાળકનું પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતુ. જ્યારે કિશોરીને ગંભીર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code