Site icon Revoi.in

નિકોબાર દ્વીપ સમૂહમાં ધ્રૂજી ધરતી,રિક્ટર સ્કેલ પર 5.0 ની તીવ્રતા નોંધાઈ

Social Share

દિલ્હી: નિકોબાર ટાપુઓમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જેની તીવ્રતા 5.0 માપવામાં આવી હતી.જોકે,આ ભૂકંપથી કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી.

આજે સવારે લગભગ 5.40 વાગ્યે નિકોબાર ટાપુઓમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.0 નોંધવામાં આવી હતી. હાલમાં જાનમાલના નુકસાનની માહિતી હજુ સુધી મળી નથી.

થોડા દિવસ પહેલા ભારતના આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મોડી રાત્રે જોરદાર ભૂકંપ આવ્યો હતો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.8 માપવામાં આવી હતી. GFZએ કહ્યું કે ભૂકંપનું કેન્દ્ર 10 કિમીની ઊંડાઈએ હતું.જોકે, આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે નુકસાનીના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

આ પહેલા અફઘાનિસ્તાનમાં સાંજે 6.09 કલાકે ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપ ની તીવ્રતા 4.2 માપવામાં આવી હતી. આ પહેલા 23 જુલાઈના રોજ સવારે 8.46 કલાકે અહીં ભૂકંપ આવ્યો હતો. ત્યારે તેની તીવ્રતા 4.6 નોંધાઈ હતી.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.