Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.9ની તીવ્રતા

Social Share

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં રવિવારે સવારે 10.27 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 હતી અને તેનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી ક્ષેત્ર હતું. ભૂકંપમાં કોઈ નુકસાનના સમાચાર નથી. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી ક્ષેત્ર હતું અને તેની ઊંડાઈ 220 કિમી હતી.

આ પહેલા 30 એપ્રિલ 2023ના રોજ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ સવારે 5.15 વાગ્યે આવ્યો હતો અને રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 માપવામાં આવી હતી. આ દરમિયાન પણ કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.

Exit mobile version